SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ કાંત દષ્ટિ : સાર, ગદષ્ટિ કળશ કાવ્ય (૫૫૩) પિતાના પતિમાં જ લીન રહે છે, તેમ. એથી કરીને આક્ષેપક જ્ઞાનને લીધે એને ભેગા ભવહેતુ–સંસારકારણ થતા નથી. માયાજલને તત્ત્વથી-તેના સ્વરૂપથી દેખનારે પુરુષ જેમ બેધડકપણે શીધ્ર તેની મધ્યેથી, ત્યાઘાત પામ્યા વિના, ચાલ્યો જાય જ છે; તેમ માયાજલની ઉપમા જેને ઘટે છે, એવા ભેગેને તેના સ્વરૂપથી દેખનારે સમ્યગદષ્ટિ દેછા પુરુષ, તે ભેગવતાં છતાં અસંગઅનાસક્ત હેઈ, પરમપદ પ્રત્યે જાય જ છે. પણ ભેગ જેને મન તવરૂપ-સાચેસાચા ભાસે છે, એવા ભગતત્વ પુરુષને તે ભવસમુદ્રનું ઉલ્લંઘન થતું નથી. કારણ કે તેની તથા પ્રકારની બુદ્ધિથી તેના ઉપાયમાં તેની અપ્રવૃત્તિ હોય છે. માયાજલમાં જેને તેવા વિપસને લીધે દઢ અભિનિવેશ-આગ્રહ છે, એવો કે અહીં માયામાં-જ્યાં જલબુદ્ધિ છે તે માગે જાય? એટલે તે તે ભદ્વિગ્ન-ભવથી દુઃખ પામતે રહી, જેમ ત્યાં જ-માર્ગમાં જ નિઃસંશય સ્થિતિ કરે છે, તેમ ભોગજંબાલથી મોહિત એવો તે મોક્ષમાર્ગમાં પણ સ્થિતિ’ કરે છે, જ્યાં છે ત્યાંને ત્યાં જ પડયો રહે છે, પણ આગળ પ્રગતિ કરતો નથી. સદા સદ્દવિચારરૂપ મીમાંસા ભાવથી આ દૃષ્ટિમાં કદી મોહ હેત નથી, એથી કરીને અમેહસ્વરૂપ' એવા “બેધમૂત્તિ’ જ્ઞાની પુરુષને સદૈવ હિતેાદય જ હોય છે, અર્થાત્ ઉત્તરોત્તર આત્મદશાની પ્રગતિરૂપ હિતનો--આત્મકલ્યાણને સમુદય થયા જ કરે છે. યોગદષ્ટિ કળશ કાવ્ય હરિગીત કાંતા સમી નિત કાંત કાંતા દષ્ટિ ગિજન તણી, તારા સમી દર્શનપ્રભાથી ચમકતી નિત્યે ઘણું; સૂફમધ પ્રકાશ કાંતિ ચિદાકાશ ઝગાવતી, પુષ્ટ તત્વવિચારણામય મીમાંસા બલથી અતિ. ૧૨૭ મ્યાનથી અસિ જેમ આત્મા ભિન્ન દેહાદિ થકી, અવિનાશી ને ઉપયોગવત દેખતે નિત્યે નક; યેગી પરા ધીર ધારણા આત્મસ્વરૂપ ધાર, પરભાવ તેમ વિભાવમાં કદી મોદ તે ન ધરાવતે. ૧૨૮ આત્મ સ્વભાવે વર્તનારૂપ ધર્મમાં વર્તન થકી, આચારની શુદ્ધિ પરા આ પામતે યેગી નકી; ધર્મમાં એકાગ્રમન આ ધર્મમૂર્તાિ મહાત્મને, આ ધર્મના મહિમા થકી હોયે અતિ પ્રિયતા જને. ૧૨૯
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy