SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદષ્ટિઃ અપવાદરૂપ તીર્થંકરાદિ સપુરુષે (૧૦૧) ફકકડ બનીને ચાલે છે, કે તેઓ સમસ્ત જગતુને પિતાની પાસે તૃણવત્ તુચ્છ ગણે છે ! અરે ! પોતે મૂર્ખશિરોમણિ છતાં સાચા પંડિત સમર્થ વિદ્વજાજનોને પણ હસે છેઅપમાને છે ! અને કાં તે આ બિચારા શ્રીમંતજનો પોતે પાથરેલી પરિગ્રહની જાલમાં એટલા બધા ગુંથાઈ ગયા હોય છે, મિલ-કારખાના વગેરે પાપો પાદાનરૂપ કર્માદાની ધંધાઓની ધાંધલમાં ને પરજણમાં એટલા બધા પરોવાઈ ગયા હોય છે, પારકે પરસેવે સંચય કરેલ ધનરાશિ કઈ ગાંઠે બાંધવો ને ક્યાં રોકો તેના પ્રપંચની વિમાસણમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હોય છે, શેરસટ્ટાની ઉથલપાથલની ગડમથલમાં અહીંના અહીં જ પાછળ મૂકી જવા માટેના ધનના ઢગલા શીધ્ર ભેગા કરવાની વેતરણમાં એટલા બધા વ્યગ્ર બની ગયા હોય છે,–કે આ બાપડા ગદ્ધાવૈતરું કરનાર શ્રીમતી શાંતિથી ભેજન પણ લેતા નથી ! ચિંતામગ્ન થઈ રાતે નિરાંતે ઊંઘતા પણ નથી ! અને આવી આ ધન-મધની મધમાખીઓ જે ધન–મધને પોતે સંચય કરે છે, તેને આસ્વાદ લેવાથી પોતે જ વંચિત રહે છે! જે ધનના મધપુડા પિતે બાંધે છે, તે જાણે પારકા માટે મૂકી જવાને” જ હોયની એમ પરગજુ-પરોપકારી બને છે ! વેઠીઆ પિઠીક બની પારકી વેઠ કરે છે ! પણ પ્રમાદ છેડી, જે ધર્મથી આ એશ્વર્યની પ્રાપ્તિ થઈ છે, થાય છે, ને થવાની છે, તેને સંભારતા પણ નથી ! ખરેખર ! શ્રીમંત ધનવાન જેવું બીજું કેઈ વધારે દયાપાત્ર પ્રાણી દુનિયામાં જડવું મુશ્કેલ છે. સોયના નાકામાંથી ઊંટ નીકળી જાય એ બનવાજોગ છે, પણ શ્રીમંતને પ્રભુના ધામમાં પ્રવેશ થવો સંભવ નથી, એવા આશયનું મહાત્મા ઇસુ ખ્રીસ્તનું વચન બાઈબલમાં છે, તે અત્રે બરાબર લાગુ પડે છે – 'It is easier for a camel to pass through the eye of a needle than for a rich man to enter the kingdom of heaven.' સાહ્યબી સુખદ હોય, માન તણે મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હોય, એશને અંકેર હોય, દેલતનો દોર હોય, એ તે સુખ નામનું વનિતા વિલાસ હય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું, વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ, એ તો બેએ જ બદામનું.” – શ્રીમદ્ રાજચંદ્રજી આમ સ્વર્ગમાં કે મનુષ્યમાં જ્યાં ધર્મપસાથે પુણ્યોદયથી ભાગસંપત્તિ સાંપડે છે, ત્યાં જીવન પ્રાયે વિશિષ્ટ ધર્મસાધન વિના પ્રમાદમાં વ્યતીત થાય છે, ને આત્મસ્વરૂપ ભૂલાઈ જાય છે. એટલે પરિણામે રમા ધર્મજનિત ભેગસંપત્તિ પણ પરમાર્થથી આત્માને અનર્થકારક થઈ પડે છે, અહિતરૂપ બને છે, આત્માર્થથી સૂકાવી દેનાર-વંચિત કરનાર નીવડે છે; માટે આ ધર્મ જનિત ભેગ પણ પ્રાયે અનિષ્ટ છે, પરમાર્થથી દુઃખરૂપ જ છે. અત્રે પ્રાયે–ઘણું કરીને એમ કહ્યું છે તે શુદ્ધ ધર્મને આક્ષેપનારા-આકર્ષનારા
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy