SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૩: શ્રી સભવનાથ સ્તવન [ ce મરણ થાય તે ગણાય અને વચ્ચેના સમયમાં અનેક મરણ થયાં તે ફોક. અને બીજી ઉત્સર્પિણી પણ અનંતર ખીજે સમયે મરણ થાય તે જ ગણવાનું અને આંખ મી'ચીને ઉઘાડીએ તેમાં તે અસંખ્ય સમય થાય. અને સાગરોપમનાં તે અસખ્ય વર્ષો થાય. એવા દશ કરોડને કરડે ગુણીએ એવડો મોટો ઉત્સર્પિણી કાળ થાય. કલ્પના કરતાં અધધધ થઈ જાય તેવી આ ગણતરી છે અને તેવા તે અનંત પુગળપરાવર્તી થઈ ગયા અને તે પણ ખાદર નહિ પણ સૂક્ષ્મ ગણતરીએ ! આવી રીતે સંસારમાં રખડતાં જ્યારે પ્રાણીનું છેલ્લું પુદ્ગળપરાવત આવે, ત્યારે તેની એષ્ટિ મટીને યાગષ્ટિ થવા માંડે છે. એ કારે થાય અને થાય ત્યારે શુ થાય, તે હવે પછી જોઇશુ’. પ્રાણી જ્યારે ફરતા ફરતા છેલ્લા પુાળપરાવતમાં આવે ત્યારે આ યૌગિક ફેરફાર થાય છે. એટલી વાત સુધી આપણે આવ્યા. ચમકરણુ : આ સંસારમાં પરિભ્રમણ કરતાં, ઉપર પુગળપરાવના વિવેચનમાં જણાવ્યું તેમ, પ્રાણી અબેધ-અજ્ઞાનદશામાં અનંત કાળથી સખડચા કરે છે, એ રાગદ્વેષમાં આસક્ત, સ'સારમાં રસિક થઇ અનેક પ્રકારની સ્થૂળ અને સૂક્ષ્મ યાતનાઓ સહન કરે છે; એક ખાડામાંથી બીજામાં પડે છે; કોઈ વાર દેવગતિમાં જઈ સ્થૂળ સુખા અનુભવે છે તે વળી અનેક વાર નરકગતિમાં જઈ મહાકના પામે છે; અને કોઈ વાર એક આંખ મીચીને ઉઘાડીએ તેટલા કાળમાં સોળ વાર મરે છે અને સત્તર વાર જન્મે છે. જ્યાં સુધી એને સાચા દેવ ગુરુ-ધર્માંની પિછાણુ નથી થતી, જ્યાં સુધી એને પૌલિક ભાવેામાં મેજ આવે છે, ત્યાં સુધી સંસારની રખડપાટી, પરભાવરમણુતા, એ એના સ્વભાવ બની જાય છે. અને ધમાધમ એ એની ર'ગભૂમિ બની જાય છે. આ ધમપછાડામાં કોઇ વાર એને પૌલિક સુખ પણ મળે છે; પણ તે ક્ષણજીવી અને નાશ પામનારું હોઇ અંતે સાચા સુખની વ્યાખ્યામાં આવતું નથી. જ્યારે એના સાચા મા પર આવવાનો રાડુ થવા માંડે ત્યારે, ઉપર જણાવ્યું તેમ, ચરમ પુદ્ગળપરાવમાં આવી પહોંચેલ હાય છે. અહી એઘદૃષ્ટિ મૂકી એ ચેાગઢષ્ટિમાં પ્રવેશ કરે છે. એ એષ્ટિ અને યોગદિષ્ટનું રવરૂપ ખૂબ સમજવા યોગ્ય છે. તેને માટે ‘યેગાસિમુચ્ચય’માં શ્રીમાન હરિભદ્રસૂરિએ ખૂબ સુંદર ખ્યાલ આપ્યો છે. જૈનના આખા વિકાસમા સમજવા માટે આ એઘદિષ્ટ, ચાગદૃષ્ટિ અને ત્રણ કરણની વાત ખાસ સમજમાં લેવાની જરૂર છે. ચાલુ વ્યવહારની દૃષ્ટિ છેડી દર્દ, જ્યારે એ યગદષ્ટિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ધીમે ધીમે તેમાં આગળ વધતો જાય છે. આત્મવિચારણા, યોગ્યનિયંત્રણુ અને યાગ્ય માગે વન કરીને અને સુનીતિને પંથે અનુસરીને એ ગુણપ્રાપ્તિમાં ધીમે ધીમે આગળ વધતા જાય છે અને વ્યવહારકુશળ તથા આત્માથી બને છે. અહી' સમક્તિ-પ્રાપ્તિ થયા પહેલાં પ્રાણી ત્રણ કરણ કરે છે, તે અત્ર પ્રસ્તુત વિષય છે. તેને સમજતાં ચરમકરણ સમજાઇ જશે. ત્રણ કરણેામાં ચરમ (છેલ્લું) કરણ અત્ર ખાસ પ્રસ્તુત છે. ૧. તેનાં જરૂરી અવતરણ માટે જુએ શ્રી યશોવિજ∞ ઉપાધ્યાયકૃત આઠ દૃષ્ટિની સજ્ઝાય અને મારા જૈન દૃષ્ટિએ યાગ ' પૃ. ૧૬ થી આગળ. 6
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy