SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬] શ્રી આનંદઘન-ચાવીશી નથી. કુમારપાળની બહેનને રમતાં રમતાં રોગઠાબાજીમાં જ્યારે પિતાના ધણીએ એટલું કહ્યું કે માર એ કુમારપાળનાં મુડીને, ત્યારે એ રિસાઈને પિયર આવી. કુમારપાળે એ વાત જાણી ત્યારે આવું બોલનારની જીભ ખેંચાવી લઉં એમ જાહેર કરી મેટી લડાઈ જાહેર કરી. અને એના વખતમાં બે મોટી લડાઈઓ થઈ, તે પૈકી આ લડાઈ એક મોટી લડાઈ ગણાય છે. અંતે લડાઈમાં પિતાના બનેવીને હરાવ્યો. અને અંતે પ્રધાને સમજાવ્યું ત્યારે કુમારપાળે જામાની પાછળ ચીતરેલ જીભને ખેંચી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી. આવી હાસ્યની વાત છે. હાસ્યની ટેવવાળા લોકોમાં મકરા કહેવાય છે. આ હસવાની પ્રવૃત્તિ આત્મિક ગુણથી વિપરીત છે અને એ અનર્થદંડને ઘણે વધારી મૂકે છે. પછી તે હસતાં બાંધેલાં કર્મો રડતાં પણ છૂટતાં નથી અને નવીન કર્મબંધ કરાવે છે. માટે ભગવાનની પેઠે હસવાને ત્યાગ કર. હસવાની ટેવ ખોટી છે; એમાં જરા પણ લાભ નથી. અને એ કોધને ઉત્પન્ન કરનાર છે. અને હસે એના ઘર વસે' એ કહેવત છેટે રસ્તે દોરનારી છે. ખરા આ ત્મિક ગુણને એ અટકાવનારી પદ્ધતિ છે અને તેથી પ્રભુને આદર્શ રાખનારને એ સર્વથા ત્યાજ્ય છે. એ ટેવથી કઈ જાતનો લાભ નથી અને એકંદરે-સરવાળે નુકસાન જ છે. હસવામાંથી ખસવું થઈ જતાં વાર લાગતી નથી, તેથી આ હસવાની કે મશ્કરી કરવાની ટેવ રાખવી યોગ્ય નથી. આવી રીતે હસવાની પદ્ધતિનો ત્યાગ કરે એ પ્રભુને આદર્શ તરીકે સ્વીકારનારને માટે ખાસ જરૂરી છે. એ પ્રમાણે અઢાર પૈકી છઠ્ઠો દેષ થયો. એ જ પ્રમાણે રતિ નામને સાતમે દોષ પણ પ્રભુને થતો નથી. અનુકૂળ પગલિક પદાર્થ મળે ત્યારે રાજી થવું તે રતિ નામને નોકષાય છે. તે દૂષણ પ્રભુને જરા પણ નથી. અનુકુળ પદાર્થોમાં રાજી થવું, તેને ચેનમાં પડી જવું, એથી પ્રાણ ભારે કર્મબંધ કરે છે. પદાર્થને અનુકૂળ માનો તે જ અજ્ઞાનતા છે. પદાર્થ તો જડ હોઈ અંતે વિનાશી છે. શરીર કે કઈ પણ પદાર્થમાં રતિ ન કરવી, એ પ્રભુને માર્ગ છે અને પ્રભુના માર્ગને અનુસરી આ સાતમા દૂષણને ત્યાગ કરવો. આઠમું દૂષણ અરતિ છે. રતિથી તે ઊલટો દુર્ગુણ છે. અરતિ એટલે ચીજ પર અરાગ. કઈ વસ્તુ ઉપર અપ્રીતિ ન કરવી. આપણે લેણદાર ધન માગે ત્યારે તેને આપવું. સર્વ ચીજો અહીં મૂકી જવાની છે, આપણે સાથે કેઈ આવનાર નથી, એમ વિચારી કોઈ ચીજ પર અને કેઈ બનાવ પર અપ્રીતિ ન કરવી. આ આઠમા દૂષણને ભગવાને નિવાર્યું. અને ભગવાન આપણું આદર્શ હોઈ આપણે તેને અનુસરવું ઘટે. ધન ચાલ્યું જાય ત્યારે પણ અરતિ ન કરવી. ચોથે નોકષાય અને નવમું દૂષણ શેક છે. કોઈ માંદુ પડે કે મરી જાય ત્યારે ખેદ થાય એ શક છે. માણસ શેકથી તંદુરસ્તી ખેઈ બેસે છે, બજાર વચ્ચે અમર્યાદ કૂટવું, વરસ સુધી મેં વાળવા, છાજ્યિાં લેવાં, એ પણ શેકને એક પ્રકાર જ છે. આમાં શુભા મળતી નથી અને આપણે પણ જવાનું જ છે એ વાતનું ભાન રહેતું નથી. આ ભવ ને પરભવમાં હાનિ
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy