SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરનાથ જિન સ્તવન ધર્મ સંબંધ–મન જ્યાં ત્યાં રખડ્યા જ કરે છે. તેને ઠેકાણે લઈ આવી એક ઠેકાણે એકાગ્ર કરવાની જરૂર છે. હવે આ જીવને વિચાર થાય છે કે દુનિયા “ધમ ધમ કરે છે અને દોડાદોડ કરે છે. એક મંદિરેથી બીજે મંદિરે દોડતા જાય છે, તીર્થમાં જાય છે, ‘જ્ય જ્ય’ કર્યા કરે છે. અને જ્યાં ત્યાં ધર્મને શોધે છે. તો દુર્ગતિમાં પડતાં ધારી રાખે-પકડી રાખે તેવો ખરે ધર્મ ક, એમ પ્રભુ અરનાથને સવાલ કરે છે. ધર્મની બાબતમાં એટલી બધી અક્કસ સ્થિતિ છે કે એમાં ધર્મ કેને કહે અને કેને ન કહે તે સમજ પડતી નથી. આવા સવાલનો જવાબ આપી પ્રભુ ધર્મને સમજાવે છે. આ સંબંધી ઘણું મહત્ત્વના વિચારે પ્રભુએ બતાવ્યા છે. વાત એ છે કે ઉપમિતિભવપ્રપંચ કથાના આઠમા ભાગને અંતે સાચા વૈદ્યની વાર્તા કહી છે એ સાચા વૈદ્યના કહેવા પ્રમાણે જેમણે વર્તન કર્યું, તેના સર્વ વ્યાધિઓ ગયા તેમ એક દેવ અને એક મોક્ષમાં માની કેટલાય માણસોએ પિતાનું કામ સાધ્યું છે અને નિરંતરને માટે વ્યાધિઓથી મુકાયા છે. આ આખી કથા અને તેને ઉપનય સમજવા ગ્ય છે. તે ઉપમિતિભવપ્રપંચ કથા ભાગ ત્રીજાના પ્રસ્તાવ આઠમાં, પૃ. ૨૦૪૩ થી પૃ. ૨૦૨૩ સુધીમાં, છપાઈ ગયેલ છે. આ દર્શનની કેટલી વ્યાપકતા છે તે એ વિભાગ વાંચવાથી સમજાશે. અત્ર સ્થળ સંકેચથી વૈદ્યકથા અને તેને ઉપનય રજૂ કર્યો નથી, પણ તે જૈનની વિશાળતા બતાવે છે અને એક નવીન પદ્ધતિએ આ જમાનાના પુરુષોને બહુ મહત્વની લાગે તેવી રીતે-લખાયેલી હકીકત છે, અને તે સારી રીતે સમજણ-વિચારણા માગે છે. કોઈ પણ શાસ્ત્રકારે અને ખાસ કરીને પુરાણ કાળમાં આવી વિશાળતાપૂર્વક સમજણ કરી હોય તેવું જોવામાં આવતું નથી, તેથી આ વાત સમજવા ગ્ય છે. આવા વિશાળ દર્શનને આ સ્તવનમાં સ્પષ્ટ કર્યું છે. કોઈની સાથે વિરોધ નથી એમ બતાવી પરમસહિષ્ણુતાના પાઠ શીખવવામાં આવ્યા છે અને અહિંસા અને સત્યને આગળ કરી શાસ્ત્રનું રહસ્ય કહેવામાં આવ્યું છે. એમાં સંહિતાની વાત કરેલ છે, તે સંહિતા એટલે સમુચ્ચય કે સંગ સમજ. પદ કે લખાણના સંગ્રહને સંહિતા કહેવામાં આવે છે. તેમાં જ્યાં જ્યાં જૈન મતને અનુકૂળ વાત હોય તે જૈન મતનાં શુદ્ધ બિંદુઓ છે અને તેટલે અંશે તે અનુસરણીય છે. આવી પરમસહિષ્ણુતા તમે અન્યત્ર કવચિત્ જ જશે. અને પિતાને ધર્મ –મત ટૂંકામાં સમજાવે અને તેને છેડી ગાથામાં લઈ મૂકો અને લેકે સમજે તેવી ભાષામાં તેની હકીકત રજૂ કરવી એ અત્યંત મુશ્કેલ કામ
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy