SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ રહo] શ્રી આનંદઘન-ચાવીશી શોધી કાઢે, પણ પ્રભુની સરખામણીમાં તે કાંઈ નથી અને પ્રભુ સાથે તેને સરખાવવા પ્રયત્ન કરો એ નકામું છે. એવી કઈ ચીજ નથી, કે એવી કોઈ વ્યક્તિ નથી, જેને પ્રભુ સાથે સરખાવી શકાય. ભલા–ભેળા ભકતે માગણી તે તદ્દન સાદી કરી છે. એ તે માત્ર પ્રભુની સેવા જ માગે છે, પણ એનું આંતર રહસ્ય વિચારતાં એ ભારે માગણી છે. અને પ્રભુમય થવાની તીવ્ર ઈચ્છા એ માંગણીમાં વ્યક્ત થાય છે. માંગીને આવી માંગણી કેમ કરી, તે માંગનારની બુદ્ધિમત્તા અને દીર્ઘ નજર સૂચવે છે. ઐહિક નશ્વર ચીજ ન માંગતાં એ તે પ્રભુની સેવા ભવભવ માગે છે અને તે દ્વારા પિતાનું કામ કાઢી લે છે. આવી વૃત્તિ સદાકાળ રહે તે પ્રાણીને મોક્ષ નજીકમાં જ છે એમ સમજવું. સ્તવનમાં એક સરસ વાત કરી છે. એ ભ્રમર પ્રભુગુણ મકરંદમાં લીન થઈ ગયે છે. ગુણ મકરંદમાં લીન થઈ જવું, તન્મય થઈ જવું, તેના ઉપર એકાગ્રતા લગાડવી એ કાંઈ જેવી તેવી વાત નથી. એ તે યુગની મહાસિદ્ધિ અને કર્તવ્ય છે, જેને પરિણામે આખરે પ્રભુમય થઈ જવાય છે. આ સર્વ સાધ્યના માર્ગો છે. અને ખરે સેવક આ દીર્ઘ નજરની જ માગણી કરે, કારણ કે નશ્વર ચીને તો અંતે અહીં રહી જનાર છે અને અસ્થાયી છે. એ આપણી નથી અને આપણી કદી થઈ નથી અને થવાની નથી. બાકી પ્રભુગુણમાં લીન થઈ જવું એ તે માટે રાજયોગ છે અને જરૂર કર્તવ્ય છે. આવી રીતે સદ્વિચારણા કરી અને પિતાની મુક્તિ સાધી. જે પ્રાણ એ પ્રમાણે ભવ્ય વિચારણા કરશે તે અંતે મંગલિકમાળાને વરશે એ નિશ્ચિત હકીકત છે. આ બતાવે છે કે પ્રભુ-તીર્થંકરદેવને આદર્શ સ્થાને રાખવાની આપણી પૂર્વ વિચારણા વધારે મજબૂત થાય છે. વિમળનાથ ગર્ભે આવ્યા પછી એમની માતા ખૂબ નિર્મળ થાય છે અને તે ચેમ્બો ન્યાય કરવાની બુદ્ધિ દાખવે છે. તેઓ કપિલપુરના કૃતવર્મ રાજાના પુત્ર થાય, તેમની માતાનું નામ શ્યામા, સુવરનું લંછન અને સાઠ ધનુષ્ય કાયા–એવા મહાપુરુષ શ્રી વિમળનાથી આપણે આદર્શ સ્થાને હો ! (૧૩) ફેબ્રુઆરી : ૧૯૫૦ ]
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy