SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪ર શ્રી આનંદઘન-વીશી નિજસ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહિયે રે, જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે. શ્રી શ્રેયાંસ) ૩ અર્થ-જે પ્રાણી પિતાની આત્મિક ક્રિયા કરે તે ક્રિયાને અધ્યાત્મની ક્રિયા સમજવી, પણ જે કિયા કરવાથી ચાર ગતિમાંથી કોઈ પણ એક ગતિ મળે, તેને અધ્યાત્મ નામે ન ઓળખી શકાય. (૩) ટબો–જે ક્રિયા-સંયમાનુષ્ઠાન ચરણાદિ નિજ સ્વરૂપ સાથે તેને જ અધ્યાતમ લહીએજાણીએ. જ્ઞાને કરી જે કિયા કાયિકી આદિ, ધનરૂપ કરીને, ચાર ગતિને સાથે તે ક્રિયા અધ્યાત્મ કિયા ન કહીએ, એટલે ભવાટવીબંધન ગુણસ્થાન પ્રાપ્તિ થકી સકામ કિયા ત્યાંથી માંડી યાવનિજસ્વરૂપ પ્રકટન લગે, તે ક્રિયા અધ્યાતમ. (૩) વિવેચન–ખરેખરા અર્થમાં નિજ સ્વરૂપની જે કિયાઓ હોય તેને સાધનાર તે જ સાચા અધ્યાત્મી કહીએ. અધ્યાત્મી હંમેશાં નિજ સ્વરૂપમાં રમણ કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર કે વીર્ય એ સર્વ આત્મિક ધર્મો કે દશ યતિધર્મો એ સર્વ સૂઝે અને એમાં રમણ કરે તેને ખરેખરા અધ્યાત્મ જાણીએ. અધ્યાત્મીઓને આ અનેરો આનંદ છે. નિજ સ્વરૂપની ક્રિયા સાધવી એ એનું કર્તવ્ય હોય છે અને તે તેમાં જ રસ લે છે, અને પિતાનું અધ્યાત્મ સાચેસાચું ઝળકાવે છે. તેઓની સર્વ કિયામાં આત્મસ્વરૂપ ઓતપ્રેત થઈ જતું દેખાય છે. આવા આત્મસ્વરૂપને ખરેખરૂં યાવનાર જ ખરા અર્થમાં મુનિ છે, સાચા યતિ છે અને તેમાં જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણો ઝળકતા હોય છે. આવા મુનિ જ ખરેખરું અધ્યાત્મ સમજ્યા છે અને સમજીને તેને અમલમાં મૂકી રહ્યા છે એમ સમજવું. આવા આત્માથી ખરા મુનિ છે, અધ્યાત્મી છે. પણ જે કિયા કરીને મનુષ્યાદિ ચાર ગતિ પૈકી કોઈ પણ ગતિ સાધે તે અધ્યાત્મી કહી શકાય નહિ. તેઓ કિયા કરીને પરિણામે દેવગતિ મેળવે તે પણ અંતે તે નકામી છે; તેઓ અધ્યાત્મી નામને યોગ્ય નથી. દુનિયાદારીના લોકોને દેવગતિ સુંદર લાગે, પણ અંતે એ સોનાની બેડી છે, અને સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે. અને તિર્યંચગતિ કે નારકગતિમાં તે લેશમાત્ર પણ સુખ નથી. એટલે ટૂંકામાં દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી ગતિમાંથી કોઈ પણ એક ગતિ એના પરિણામે પ્રાપ્ત કરે પાઠાંતર– સાધે’ સ્થાને પ્રતમાં “સાધઈ' પાઠ છે, તે ફેર જૂની અને નવી ગુજરાતીને છે, “કહિએ.” સ્થાને પ્રતમાં “કહિઈ' પાઠ છે, તે જૂની-નવી ગુજરાતીને ફેર છે. “સાધે’ સ્થાને પ્રતમાં “સાર્ધ” પાઠ છે, ફેરફાર ઉપરને કારણે છે. (૩) શબ્દાર્થ—-નિજ સ્વરૂપ = સ્વસ્વરૂપ, પિતાનું સ્વરૂપ, તેની. જે = જે કાંઈ. કિરિયા = ક્રિયા એટલે જે પિત્તાની સ્વરૂપસિદ્ધિ માટે તપ-જપ-સંયમાદિ ક્રિયા. સાધે = કરે. તેહ = તે (સંબંધક) અધ્યાતમ = તે ક્રિયાનું નામ અધ્યાત્મ ક્રિયા, આત્મસંબંધી ક્રિયા એટલે આમિક ક્રિયા; એટલે આત્મિક ક્રિયા તે અધ્યાત્મ યિા. લહિયે = લઈ લઈએ, સમજીએ. જે કિરિયા = જે ક્રિયા કરી ચગતિ સાધે = પામે મેળવે. કરી = કરવાને પરિ. ગામે. ચઉગતિ = ચારમાંથી કોઈ એક ગતિ, દેવતા, મનુષ્ય, તિયચ, નારકી એ ચાર ગતિ પૈકી. સાધે = મેળવે, પ્રાપ્ત કરે. તે ન = તેવી ક્રિયાને નહિ, ન અધ્યાતમ = અધ્યાત્મ. લહિયે રે = લઈએ, ગણીએ નહિ, ધારીએ નહિ. (૩)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy