SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર] શ્રી આનંદઘન વીશી અંતરાત્માથી આગળ વધી પરમાત્માના અભિધાનને બધી રીતે યોગ્ય છે. પ્રભુ વળી પરમેશ્વર છે, ઊંચામાં ઊંચા ઐશ્વર્યવાળા છે અને જ્યારે આ દુનિયામાં હતા ત્યારે સર્વની ઉપર શાસન ચલાવનારા-પરમેશ્વર હતા. તે ઉપરાંત પ્રભુ પ્રધાન એટલે મુખ્ય છે. આ નામને મોટો મહિમા છે અને સમજી હૃદયમાં ધારણ કરવા યોગ્ય છે. એ પ્રધાન તરીકે સર્વમાં છે અને સર્વની ફરિયાદ સાંભળનાર છે. ભગવાન ઊંચામાં ઊંચી મેક્ષ પદવી રૂપ પરમ પદાર્થ છે માટે તેમને નમે, વંદો, પૂજે. તેમ જ ભગવાન પરમેષ્ઠી છે, બધાને ગમે તેવા ઈષ્ટ પદાર્થને પામેલા છે, તથા તેઓ પરમેષ્ઠી નામને તદ્દન સાર્થક કરે છે. આવા મહાપુરુષ ઉત્કૃષ્ટ ઈષ્ટ જ્ઞાનને પામેલા છે તેથી તેઓ ખરેખર પરમેષ્ઠી છે. ભગવાનનું એક વધારે નામ પરમદેવ છે. તેઓ ઉત્કૃષ્ટ દેવ છે, તેમની સાથે સરખાવી શકાય તેવા કેઈ દેવ નથી. તેઓ જાતે પ્રમાણભૂત છે. આ પ્રમાણભૂત પ્રભુને પ્રમાણ ના નામને સાર્થક કરનારા હેઈને તેમને નમે, તેમની સેવા કરે. એમાં તમારા આત્માનું હિત છે, એટલું બરાબર યાદ રાખે. આ ગાળામાં પ્રભુનાં અનેક અભિધાને જણાવ્યાં. પ્રત્યેક અભિધાન તેમને બરાબર લાગુ પડતું હોઈ, આપણી પાસે નમન માગી લે છે. (૬) વિધિ વિરંચિ વિથંભરૂ, હષીકેશ જગનાથ, લલના; અઘહર અઘમોચન ધણી, મુક્તિ પરમપદ સાથ, લલના. શ્રી સુપાસ ૭ અર્થ—તેઓ નસીબના અધિષ્ઠાતા છે અને બ્રહ્મા હોઈ જાતે વિરંચિ છે. તથા સર્વ પ્રાણીઓનું પિષણ કરનાર હોઈ તેઓ જાતે જ વિશ્વભર છે. તેમની પિતાની ઇન્દ્રિયના નાથ હોવાથી તેઓ હૃષીકેશ છે અને ત્રણે સચરાચર જગતના નાથ હોવાથી જગન્નાથ છે. તેઓ પાપને દૂર કરનાર છે અને પાપથી મુકાવનાર છે. તેઓ સ્વામી છે, શેઠ છે અને મોક્ષ નામનું જે ઉત્તમ સ્થાન છે ત્યાં પહોંચવાના સાથ છે. (૭) ટબો–દેશક, વિરંચી અનાસા વેગ એ યુગના સાધક, વિશ્વભર વેગક્ષેમના કારક, વિધિ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વરરૂપ છે. ઋષીકેશ કહેતાં હૃષીક, ઇન્દ્રિય તેના ઈક એટલે ઈચ્છા, તેના નાશક હોય. ઈચ્છાના સ્પર્ધક છે, જય નાયક. અઘહર=પરના પાપને હરે સ્વયં પોતે. અઘોચન એટલે પાપહર્તા છે, ધણી રવાની છે, કર્મથી મુક્ત રહિત છે, આલંબનભૂત છે. (૭) પાઠાંતર–વિશ્વભર” સ્થાને બે પ્રતમાં “ વિશ્વભર ” પાઠ છે; અર્થ એક જ છે. “મુક્તિ” સ્થાને મુક્ત પાઠ છે, અર્થ ફરે છે, તે માટે વિવેચન જુઓ. (૭) શબ્દાર્થ-વિધિ = સર્વનું વિધાન કરનારા, નસીબદેવી, જીવનનિર્માણ કરનાર નસીબ. વિરંચિ = ગક્ષેમના કરનારા, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વરરૂપ. વિશ્વભરુ દુનિયાનું પોષણ કરનારા. ઋષીકેશ =ઋષીક એટલે ઇયિ, તેના માલેક, કારણ કે પ્રભુએ સર્વ ઇન્દ્રિયને વશ કરેલી છે એટલે તેના નાથ છે. જગનાથ = જગતના નાથ, જગતના ધણી. અઘહર = અઘ એટલે પાપને હરણ કરનારા. અધમોચન = પાપથી મુકાવનારા, પોતે પાપથી દૂર છે અને દુનિયામાં પાપને દૂર કરનાર છે. ધણી = પતિ, તેના ઉપર રાજ્ય કરનારા, સ્વામી પરમપદ સાથે = પરમપદ એટલે મોક્ષ, ત્યાં લઈ જવામાં સાથે એટલે સથવારો આપનારા, આલંબનભૂત થઈ રહેનારા. (૭)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy