SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮] શ્રી આનંદઘન-ચોવીશી જ આત્મા દ્વારા સ્વયં એવ અનુભવન કરે, એનાથી બીજું બીજે ઠેકાણેથી જાણવાનો પ્રયાસ કરે તે નકામું છે, ફળ વગરનું–આ પ્રમાણે તે જાણે. એ હું છું, એ હું છું એમ નિરંતર અભ્યાસ કરતો પુરુષ આ વાસનાને દઢ કરે છે અને આત્મામાં અવસ્થિત થાય છે. અજ્ઞાની પુરુષને જે જે વિષયે પ્રીતિને માટે હોય છે તે જ્ઞાનીને આપત્તિનું સ્થાન થાય છે અને અજ્ઞાની જે તપસ્યાદિકમાં ભય કરે છે તેમાં જ જ્ઞાની આનંદ લે છે. આ રીતે ઇન્દ્રિયના સમૂહ જેને પ્રસન્ન હોય છે તે અંતરાત્મા પરમેષ્ઠીરૂપ છે. જે સિદ્ધનું આત્મસ્વરૂપ છે તે જ મારો આત્મા છે, હું અન્ય કોઈની પૂજા કરવા યોગ્ય નથી અને મને બીજે જાણીને અન્ય કોઈ પિતાની ઉપાસના કરે તેને પિતે યોગ્ય નથી આવી રીતની એ ભાવના કરે. પિતાના આત્માને ઈન્દ્રિયરૂપ વાઘના મુખમાંથી ખેંચી લઈને આત્માની મારફત જ પિતે ચિદાનંદમય છે અને પિતે પોતાના આત્મામાં જ સ્થિર થઈ જાય છે. આ રીતે એ ચૈતન્ય અને આનંદરૂપમાં લીન થઈ જાય. વિભ્રમ સહિત જે મુનિ આત્માને દેહથી રહિત જાણે તે તીવ્ર તપ કરે તો પણ કર્મ બંધનથી છૂટે નહિ. ભેદને જાણનાર મુનિ આત્મા પારકાના અંતરનો ભેદ કરી આનંદરૂપ થઈ જાય છે. એ તપ કરે તે પણ તેના શરીરથી ખિન્ન ન થાય. જે મુનિનું મન રાગાદિક મળથી ભિન્ન થઈ જાય અને તદ્દન નિર્મળ થઈ જાય તે મુનિ આત્માને ભલે પ્રકારે જાણે અને બીજા કઈ પણ હેતુથી આત્માને ન જાણે. વિકલ્પ વગરનું મન તત્વ સ્વરૂપ છે. જે મન વિકલ્પોથી પીડિત છે તે તરવરૂપ નથી હોતું. એ કારણે તત્ત્વની સિદ્ધિને માટે મનને વિકલ્પ રહિત કરવું. જે મન અજ્ઞાનથી બગડેલું હોય તે નિજસ્વરૂપથી છૂટી જાય છે અને જે સમ્યજ્ઞાનથી વાસિત થયેલું હોય તે પિતાના અંતઃકરણમાં પરમાત્માને દેખે છે. મુનિનું મન મોહના ઉદયથી રાગાદિથી પીડિત હોય તે મનને આત્મસ્વરૂપમાં લગાડીને એ પિતાના રાગાદિકને ક્ષણમાત્રમાં ક્ષેપણ કરે છે એટલે તેને તેઓ દૂર કરે છે. અજ્ઞાની આત્મા કાયામાં રત થઈ જાય છે; એ જ મનને સમજુ ચિદાનંદમાં લગાડીને પછી કાયા ઉપર પ્રેમ છોડી દે છે. આપણા વિશ્વમથી ઉત્પન્ન થયેલું દુઃખ આપણું જ્ઞાનથી દૂર થઈ જાય છે. આત્માના વિજ્ઞાનથી રહિત પુરુષ તપથી પોતાને થતું દુઃખ મટાડી શકતું નથી. બહિરાત્મા જે પ્રાણી હોય તે પોતાને માટે સુંદર રૂપ, આયુ, બળ ઈત્યાદિક ચાહે છે અને જે ખરે વિજ્ઞાની પુરુષ છે તે પોતામાં જે સ્વરૂપ કે એવું કાંઈ પણ હોય તેનાથી છૂટવા ચાહે છે. બહિરાત્મા આત્મસ્વભાવથી શ્રુત થઈ અન્ય પદાર્થોમાં અહં. બુદ્ધિ કરે છે અને તેથી બંધાય છે, ત્યારે જ્ઞાની માણસ આત્મામાં જ આત્મબુદ્ધિ કરીને પર પદાર્થોથી છૂટી જાય છે. આ રૂપ અચેતન છે અને ઇન્દ્રિયગ્રાહ્ય છે, પણ એ ચેતનદશ્ય નથી, એથી રૂપાદિક પર પદાર્થો ઉપર જે મારે રાગાદિક છે તે સર્વે નિષ્ફળ છે. હું મારા પિતાના સ્વરૂપનો આશ્રય કરું છું-આ પ્રમાણે એ વિચાર કરે. અજ્ઞાની પ્રાણીઓ બાહ્ય ત્યાગ કરે છે, પણ ખરા તત્વજ્ઞાનીઓ અંતરંગ ત્યાગને ત્રણ કરે છે અને જે શુદ્ધાત્મા હોય તે બાહ્ય અને અંતરંગ બન્ને પ્રકારનો ત્યાગ કરે, અને કોઈ પ્રકારને ઝડણ ન જ કરે. મુનિ આત્માને વચન અને કાયાથી ભિન્ન કરીને મનથી તેનો અભ્યાસ કરે અને બીજા કાર્યો વચન અને કાયાથી કરે, પણ ચિત્તથી ન કરે, ચિત્તથી
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy