SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ | મોહનીચકર્મ દારૂ પીધેલા માણસ જેવું છે. દારૂના નશામાં રહેલો માણસ જેમહોશ-હવાસ ખોઈ બેસે છે. એવી રીતે | મોહનીયકર્મથી પ્રભાવિત જીવ આત્મસ્વરૂપને ભૂલી જાય છે અને પરપદાર્થોને આત્મસ્વરૂપ માનવાની ભૂલ કરી બેસે છે. 'આ જ મુખ્ય કારણ છે સંસાર પરિભ્રમણનું. . “મોહમહામદ પિયો અનાદિ, ભલિ આપકું ભરમત વાદિ” મોહનીયકર્મ જીવના સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્રના માર્ગમાં અડચણ રૂપ છે. જે મનુષ્ય આ મોહનીયકર્મના સ્વરૂપને જાણતો નથી અને એની સ્થિતિનો અનુભવ કરતો નથી તે આત્મવિકાસથી દૂર રહે છે. અહંકાર અને મમકાર છે ત્યાં સુધી જીવ મોહનીયકર્મની જંજીરથી જકડાયેલો છે. અહંકાર અને મમકાર જેમાં જેમ ઘટતો જાય તેમ તેમ મોહનીસકર્મના બંધન ઢીલા પડતા જાય છે. આ મોહનીયકર્મ બધા જ કર્મનો અધિપતિ છે અને સૌથી વધારે સ્થિતિવાળો છે. મોહનીયકર્મના નિર્દેશનમાં જ બીજા કર્મો આગળ વધે છે. જીવને શરીર અને આત્માના | ભેદજ્ઞાનથી દર રાખનાર આ કર્મ છે. સંસારની ભલભલૈયામાં ભટકાવનાર મોહનીય કર્મ છે. બેડી જેવું આયુષ્યકર્મ છે. આ કર્મે શરીરરૂપી બેડી લગાવી દીધી છે. જે અનાદિકાળથી આજ સુધી લાગેલી છે. સજા પૂરી ન થાય ત્યાં સુધી કેદી મુક્ત થતો નથી; તેવી રીતે જીવની જન્મજન્મની સમયમર્યાદા પૂરી થતી નથી; ત્યાં સુધી જીવા મુક્તિનો આનંદ પ્રાપ્ત કરી શકતો નથી. નામકર્મનો સ્વભાવ ચિત્રકાર જેવો છે. ચિત્રકાર જેવી રીતે પટ ઉપર વિવિધ પ્રકારના ચિત્ર બનાવે છે; તેવી રીતે નામકર્મ ચાર ગતિમાં વિવિધ જીવોના જુદા જુદા નામરૂપ-રંગ પ્રદાન કરે છે. નામકર્મના પ્રભાવથી જીવ આ સંસારમાં નવાનવા નામધારણ કરીને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિમાં ભ્રમણ કરી રહ્યો છે. | ગોત્ર કર્મ કુંભાર જેવું છે. કુંભાર અનેક પ્રકારના નાના-મોટા માટલા બનાવે છે અને જુદા જુદા આકારો આપે છે. તેવી રીતે ગોત્ર ફર્મ પણ જીવને ઊંચ-નીચ કુળમાં જન્મઆપે છે. ગોત્રકર્મના પ્રભાવથી જીવ ઊંચા અને નીચા કુળમાં, જન્મ ધારણ કરે છે.. અંતરાય કર્મરાજાના ભંડારી જેવું છે. ખજાનામાં ધન ઘણું હોય છે. પણ તેની ચાવી ભંડારીની પાસે હોય છે. આથી આવેલો યાચક કંઈ પણ પ્રાપ્ત કરી શકતો નથી. આ જ કાર્ય આત્મામાં અંતરાયકર્મ કરે છે. આ કર્મના પ્રભાવથી જીવને ઈચ્છિત વસ્તુપ્રાપ્ત થતી નથી. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યના વિષયમાં જીવ અંતરાયકર્મના ઉદયથી કંઈ પણ લાભ પ્રાપ્ત કરી શકતો નથી. આ હતો સંક્ષેપમાં જૈનધર્મનો કર્મવાદ. એવી રીતે જિનાગમમાં આત્મવાદ, અનેકાન્તવાદ, પદ્રવ્ય, નવતત્ત્વ, મોક્ષમાર્ગ આદિ અનેક એવા વિષયોનો સમાવેશ છે; જે જીવના આત્મવિકાસમાં સહાયક છે, દ્વાદશાંગી જિનવાણીનો વિસ્તાર છે. આત્મકલ્યાણની ઈચ્છા રાખવાવાળા જીવો માટે દ્વાદશાંગીનું અધ્યયન કરવું અતિ આવશ્યક છે. સંસારમાં રહેલા પ્રત્યેક જીવને સ્વસ્વરૂપ અથતિ ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાનો અધિકાર માત્ર જૈન ધર્મદર્શન જ આપે છે, બીજી કોઈ નહી. જૈન દર્શનમાં પ્રવેશ કરી જીવ અનંત ઐશ્વર્યવાન કેવલજ્ઞાન થી યુક્ત બની શકે છે. જીવ પોતાના પુરુષાર્થ ના બળ ઉપર પરમાત્મા પદ સુધી પહોંચી શકે છે. અન્ય સમસ્ત ધર્મદર્શનોમાં જીવને પરમાત્માપ્રાપ્તિ પછી પણ પરમાત્માથી હીન માનવામાં આવે છે. જ્યારે જૈનધર્મદર્શનમાં પરમાત્મા પદની પ્રાપ્તિ પછી જીવને પરમાત્મા સ્વરૂપ જ માનવામાં આવ્યો છે આ જ જૈન ધર્મની અલગ આગવી વિશેષતા છે. પરમજ્ઞાની પરમાત્માની પાવનવાણી જીવની આ અનોપમઅસાધારણ અવસ્થાનો બોધ કરાવે છે. પ્રમાણ, નય, નિક્ષેપ, સપ્તભંગી અને સ્યાદવાદ શૈલીથી યુક્ત જિનવાણીમય જિનાગમોના ઉંડા અધ્યયન માટે વિભિન્ન સંદર્ભ ગ્રન્થોનું અનુશીલન ચિંતન અત્યન્ત આવશ્યક છે. 2 આજ થી 100 વર્ષ પહેલા ઉચિત સાધનોના અભાવમાં જિનાગમોનું અધ્યયન અત્યન્ત દુષ્કર હતું વિશ્વના વિદ્વાનો એક એવી ચાવી ની ખોજ મા હતા કે જેનાથી જિનાગમના બધાજ રહસ્યરૂપી તાળા ખૂલી જાય અને જ્ઞાનપિપાસા તૃપ્ત થાય. એવા કપરા સમયમાં એક 63 વર્ષના વયોવૃદ્ધ ત્યાગવૃદ્ધ તપોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આ કાર્ય હાથમાં લીધું તે દિવ્યપુરુષ હતા ચારિત્રક્રિયાપાલક ગરદેવ પ્રભુ શ્રીમદ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ તેઓએ જિનાગમની ચાવી નિમણિ કરવાનું જટિલ કાર્ય સિયાણાનગરમાં સવિધિનાથ જિનાલયની છત્રછાયા માં પ્રારંભ કર્યું ચાવી બનવાનું આ કાર્ય 14-14 વર્ષ સુધી લાગટ ચાલ્યું અને અંતે સુરતનગરમાં આ કાર્ય પૂર્ણ થયું તે ચાવીનું નામ એટલે “અભિધાન રાજેન્દ્ર કોષ!' કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે આગમના અધ્યપન સમયે “અભિધાન રાજેન્દ્ર કોષ' પાસે હોય પછી કોઈ અન્ય ગ્રન્થ પાસે રાખવાની આવશ્યકતા રહેતી નથી આ મહાન ગ્રન્થ જિજ્ઞાસુની તમામ જિજ્ઞાસાઓને પૂર્ણ કરે છે.
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy