SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ મગધનાં મહારત્ન 121 રથિક મહારાજા સાથે લડવ્યો. અને છેલ્લે છેલ્લે પિતાના બત્રીસ પુત્રને મહારાજની સેવામાં મૂકીને પોતે નિવૃત્ત થયે. આવા નાગરથિકને આવતા નિહાળી સહુ શાંતિ અને શિષ્ટતાથી ઊભા રહી ગયા. એકદમ દેવસૂનુ એમના પગમાં પડ્યો ને ચોધાર આંસુએ રડી પડ્યો. “દેવસૂનુ, શા માટે રડે છે? મહારાજ તે હેમખેમ છે ને! મહામાત્ય તો કુશળ છે ને !" “બંને ય કુશળ છે, પણ.” અને ફરીથી અધિકારી રહી પડ્યો. એ એકલો વૈતનિક સંદેશવાહક નહોતે,એને નાગ રથિક પ્રત્યે અનહદ માન હતું. “પણ દેવસૂનુ તારા જેવો પુરુષ રડે, એને અર્થ મારાથી સમજાતું નથી. શું છે? મારા પુત્રો હેમખેમ છે ને?” “પૂજ્યવર્થ, આપના પુત્રો....” સંદેશવાહક આગળ ન બેલી શક્યો. મારા પુત્રે !" અંદરથી એક તણે સ્વર આવ્યો. પલકારામાં એક–વયે વૃદ્ધ પણ દેખાવે પ્રૌઢ સ્ત્રી બહાર ધસી આવી. દેવસૂનુએ તેને પણ નમસ્કાર કર્યો ને કહ્યું દેવી સુલસા, બહુ માઠા સમાચાર છે.” માઠા સમાચાર?” ને સુલસા એકદમ આગળ આવી. નાગ રથિકની આ પત્ની હતી. નાગ રથિક રાજગૃહીની પ્રજાને જેમ પ્રિય હતે. તેમ સુલસા તરફ પણ સહુને માન હતું. એક બે નહિ, પણ બત્રીસ પુત્રની માતા બનનાર આ નારીને દેહ ને રૂ૫શ્રી હજી તેવાં ને તેવાં જ હતાં. એના શરીર પર વૃદ્ધાવસ્થા ઊતરતી જતી હતીઃ એમ એમ સૌમ્યતાનો અંબાર વૃદ્ધિ પામતો જાતે હતે.
SR No.032850
Book TitleMaharshi Metaraj
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherSarabhai Nawab
Publication Year1941
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy