SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 120 મહષિ મેતારજ લગભગ તશરદે પહોંચી હતી, પણ એમના દેહ પર હજી ય જૂની પરાક્રમશીલતા ને વીરતા ચમકી રહ્યાં હતાં. કઈ પહાડ જેવી એમની પડછંદ કાયા પર અલબત્ત એક પણ વાળ વેત થયા સિવાય રહ્યો નહોતે, પણ કસાયેલું બદન જોનારને એમ જ લાગતું હતું કે આ માનવી હજી પણ એક જ હાકે ને એક જ છલાંગે અશ્વ પર આરુદ્ધ થઈ શકે ને રણમાં ઘૂમી શકે. નાગ રથિક મગધની એક પૂજનીય વ્યક્તિ હતી. એને પ્રતાપ દેખવામાં કંઈ દેખાતે નહેતા, છતાં એને પ્રતાપને વશ થવામાં બધા પિતાનું કર્તવ્ય સમજતા. મહારાજ બિમ્બિસારના પિતા રાજા પ્રસેનજિતના મૃત્યુ સમયે જ્યારે રાજગાદી માટે ભયંકર તોફાન ઉપડયું અને કેને ગાદી આપવી એવો પ્રશ્ન ખડો થયે ત્યારે એકવાર એમ લાગેલું કે જાણે આંતરકલહમાં મગધનું આખું સામ્રાજ્ય બળીને ખાખ થઈ જશે. મહારાણું તિલકાને પક્ષ સબળ બની બેઠે હતો, ને જે બિબિસારને રાજ્ય મળે તેં બળ જગાવવાની પેરવીમાં હતા. મહારાજ પ્રસેનજિત પણ આ ભયથી ગુપ્ત રીતે બિમ્બિસારની તરફેણ કરતા હતા. પણ પ્રગટ રીતે કંઈ કરી શકવા અસમર્થ હતા, એવી કપરી વેળાએ મગધને આજીવન સેવક આ મહાન નાગ રથિક ખુલ્લંખુલ્લા બહાર પડ્યો. એણે કહ્યું: “ગુણમાં ને હકમાં બિસ્મિસાર જ રાજતિલકને યોગ્ય છે. અને એને જ રાજતિલક થશે.” " એકવાર આ શબ્દોએ તે અત્યંત તોફાન ઊભું કર્યું, પણ નાગથિક મેદાને પડ્યો. કૂડકપટ, દાવપેચ, વિષના પ્યાલા અને નગ્ન ખંજરની દુનિયા સામે આવી ઊભઃ પણ આ મહાન હો હિંમત ન હાર્યો. એણે આખી મગધની પ્રજાને તૈયાર કરી અને બિમ્બિસારને રાજતિલક કર્યું. મહારાજ બિઅિસારે નાગરથિકને પિતાના અંગરક્ષકનું માનવંતુ પદ આપ્યું. આ પછી તે કેટલાંય યુદ્ધોમાં નાગ * સે વર્ષ
SR No.032850
Book TitleMaharshi Metaraj
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherSarabhai Nawab
Publication Year1941
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy