SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ મુનિક પન (પન્નવણા) સૂત્રની રચના કરી અને વીર સંવત ૩૭૬માં દેવલોક પામ્યા. (10) બલિસિંહજી (11) સેવન સ્વામી (12) વીરસ્વામી (13) સ્પંડિલ સ્વામી (14) જીવધર સ્વામી (15) આર્ય સમ્મદ સ્વામી (16) નંદલ સ્વામી (19) નાગતિ સ્વામી (18) રેવંત સ્વામી, (19) સિંહગણિજી, (20) ઠંડિલાચાર્ય, (21) હેમબંત સ્વામી, (રર) નાગજિત સ્વામી, (ર૩) ગોવિન્દ સ્વામી, (24) ભૂતદીન સ્વામી, (પ છગગણિજી, (ર૬) દુસહગણિજી અને (ર૭) દેવર્ધિગણિજી ક્ષમાશ્રમણ થયા. - વીર સંવત ૯૮૨એટલે વિક્રમ સંવત ૧૦માં દેવર્ધિગણિ માછમણે મહાવીર સ્વામી વિરચિત તને વલ્લભીપુર નગરમાં પુસ્તક રૂપે પ્રગટ કર્યા, અર્થાત તેમના વખતથી લિપિબદ્ધ સૂત્રો પ્રગટ થવાં શરૂ થયાં. આ બાબતમાં એ વાત પ્રસિદ્ધ છે કે એક વખત દેવધિગણિ ક્ષમાશ્રમણ એક સુંઠનો ગાંડી વહેરીને લાવ્યા હતા, પરંતુ તેને ઉપયોગમાં લેવાનું વિસરી ગયા. થોડા સમય બાદ તેમને યાદ આવ્યું તેથી વિચાર કરવા લાગ્યા કે અત્યારથી મનુષ્યની સ્મરણશકિત ઘટવા લાગી છે, તો સમયના વહેવા સાથે વિશેષ ઘટી જશે, અને શાસ્ત્રોનું સ્મરણ રહેશે નહિ, તેથી તેનું પુસ્તક તૈયાર કરવામાં આવે તો બધાં શાસ્ત્ર લિપિબધ્ધ થઈ જાય, અને તેમાંથી ઘટાડો થવાનો સંદેહ હેમેશને માટે નાબૂદ થાય. બસ ! આજ દુરંદેશીપણાથી પ્રેરાઈને તેમણે શાસ્ત્રને લિપિબદ્ધ ક્ય. દેવગિણિ ક્ષમાશમણુની પાટ ઉપર અનુક્રમે (28) વીરભદ્ર (29) શંકરભદ્ર (30) યશભદ્ર (31) વીરસેન (32) વીરસંગ્રામ (33) જિનસેન (34) હરિસેન (35) જયસેન (36) જગમાલ
SR No.032846
Book TitleAdarsh Muni
Original Sutra AuthorN/A
AuthorPyarchand Maharaj, Chandulal Mohanlal Modi
PublisherJainoday Pustak Prakashan Samiti
Publication Year1932
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy