________________ અધ્યાત્મજગતમાં પણ આ જ કાયદો લાગુ પડે છે. ક્રોધ એ આપણો સ્વભાવ નથી, એ આપણી ચીજ નથી. એને મોહ પાસેથી, કર્મસત્તા પાસેથી ઉછીની લેવી પડે છે. એ ચીજ લોન તરીકે કર્મસત્તા આપે છે. જે સમયે તમે એની પાસેથી ક્રોધની લોન લો છો ત્યારથી કર્મસત્તા ચક્રવૃદ્ધિ વ્યાજથી પણ ભયાનક વ્યાજના દરે તમારા નામનું મીટર ફેરવવા લાગે છે. એનો હિસાબ ભયાનક છે. તમે તો એક વાર ગુસ્સો કરી નફિકરા થઈ ફરવા મંડો છો. પણ, કર્મસત્તા તો વ્યાજ ચડાવતી જ જાય છે. અને જ્યારે એ ચૂકવવાનું આવે ત્યારે ગાભા છોતરા નીકળી જાય. જેમ ડાહ્યો માણસ જલસા માટે લોન ન લે. કારણ કે એ સમજે છે આ ફક્ત “આવતું નથી, સામે મારે તેને એટલું જ નહીં એનાથી પણ વધારે ‘વાળવાનું છે. એ પૈસાને આવતા પણ જુવે છે અને જતા પણ જુવે છે. તેમ કર્મસત્તા પાસેથી ક્રોધની લોન લીધા પછી તેની બહુ ભારે વસૂલી એ કરે છે. એના વ્યાજના દર આસમાની છે. એ ચૂકવતા જ દમ નીકળી જાય. ખૂબીની કે ખામીની વાત તો એ છે કે આ ગુસ્સો એ વ્યસન જેવો છે. એક વાર એની લોન કર્મસત્તા પાસેથી લો એટલે પછી એ જ ફાવી જાય છે. વારે અને તહેવારે પછી ગુસ્સાની લોન લેવાની ચાલુ થઈ જાય છે. ગુસ્સો જેટલો કરતા જાઓ તેટલો એ વધતો જ જાય, વધતો જ જાય. | મુનિ ભગવંત ગોચરી લઈને આવ્યા. તપસ્વી મુનિરાજ હતા. ગોચરીમાં જોડે બાલમુનિ પણ હતા. ગોચરી લાવ્યા પછી બધી ગોચરી ગુરુમહારાજને બતાવવાની હોય અને ગોચરી લેવા જતા-આવતા -વહોરતા જે પણ દોષો લાગ્યા હોય તે બધાં જણાવવાના હોય. મુનિ ભગવંત તે બધાં દોષો જણાવતા હતા. બાજુમાં ઉભેલા બાલ મુનિને લાગ્યું કે તેઓ એક દોષ જણાવવાનું ભૂલી ગયા છે. એટલે બાલ મુનિએ એ મહાત્માને યાદ અપાવ્યું - “મહારાજ ! પગ નીચે પેલી દેડકી આવી ગઈ હતી ને !' પણ, મુનિ ભગવંતે કશું જ ન જણાવ્યું. કશી જ આલોચના