________________ તમારા જીવનમાં એવી જ કોઈ ઘટના બને ત્યારે શા માટે તે વાત સમજી નથી શકતા ? કટોકટીના સમયમાં નજીકનો મિત્ર તમને સહાય ન કરે તેમાં તમારો પોતાનો વાંક દેખાય કે મિત્રનો ? દીકરો કે દોસ્ત મદદ કરી શકવાની સ્થિતિમાં હોવા છતાં મદદ ન કરે તો સમજવું કે આ જ હોનહાર છે. આમાં ફેરફાર શક્ય નથી. તમે ગમે તેટલા ધમપછાડા કરો, ગુસ્સો કરો છતાં હોનહારમાં કશો ફેરફાર શક્ય જ ન હોય તો શા માટે ગુસ્સો કરી મનને બગાડવું? જે પ્રભુએ દીઠું હશે તે જ થશે - આ રીતે વિચારી શું મનને પ્રસન્ન ન રાખી શકાય ? એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે આપણને હેરાન કરનાર પ્રત્યે સદ્ભાવ ટકાવી રાખવો જેટલો અઘરો છે તેના કરતાં પણ કટોકટીના કે આફતના સમયમાં જેને નિકટના માની રાખ્યા હોય તેના તરફથી સહાય ન મળે ત્યારે તે નિકટના દીકરા કે દોસ્તો ઉપર સદ્ભાવ ટકાવી રાખવો કંઈ ગણો અઘરો અને કપરો છે. મહાવીર મહારાજાએ પોતાને હેરાન કરનાર ગોશાળા ઉપર તો અસદ્ભાવ નથી જ પ્રગટાવ્યો. સાથે 6-6 મહિના સુધી થયેલા લોહીના ઝાડા અટકાવવાની શક્તિ હોવા છતાં ન અટકાવનાર ગૌતમસ્વામી ઉપર પણ લેશમાત્ર અસદ્ભાવ નથી પ્રગટાવ્યો. કારણ કે પરમાત્મા કેવલજ્ઞાનથી સ્પષ્ટ સમજે છે, જાણે છે કે “આ જ હોનહાર છે. આ જ નિયતિ છે. આ ઘટના આ પ્રમાણે થઈને જ રહેશે.” કોર્પોરેશનમાં તમારી નિકટની ઓળખાણવાળી વ્યક્તિ હોવા છતાં, તે તમારા કામને કરી શકવા સમર્થ હોવા છતાં કામ ન કરી આપે તો ગુસ્સો શા માટે કરવો ? તમારું પુણ્ય નથી. માટે, તે તમારું કામ નથી કરી આપતો. તમારી નિયતિ જ તેવી હોય તો તેમાં તે શું કરે ? કોઈને પણ ભગવાનને બચાવવાનો વિચાર ન આવ્યો છતાં ભગવાન કોઈનો પણ વાંક જોવા તૈયાર નથી. તો તમે શા માટે બીજાનો વાંક જોઈ -જોઈને દુઃખી થાઓ છો ? જો પ્રતિકૂળ વર્તન કરનાર ઉપર ગુસ્સો પ્રગટતો હોય તો 374