________________ U7. અનાદિ-અનંત કાળની તમામ ઘટનાઓ કેવલીને સાક્ષાત્ છે. કેવલી ભગવંત બધું જ જોઈ રહ્યા છે. તેમાં લેશ પણ ફેરફારને અવકાશ નથી. હોનહાર એટલે આવું જ આ સમયે થવાનું નિશ્ચિત હોવું. જે ઘટના જ્યાં જ્યારે જે રીતે થવાની છે ત્યારે ત્યાં તે રીતે તે ઘટના ઘટવાની જ છે. ઉપરથી ઈન્દ્ર નીચે આવે તો પણ તે ઘટનામાં લેશ માત્ર ફેરફાર થવાનો નથી. એક શાશ્વત કાયદો છે કે તીર્થકરોને કેવલજ્ઞાન થયા બાદ કદાપિ ઉપસર્ગ થાય નહીં. છતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને ગોશાળાએ ઉપસર્ગ કર્યો. 6-6 મહિના સુધી લોહીના ઝાડા કરાવ્યા. કારણ ? હોનહાર ! હોનહાર, હોની-અનહોની, ભવિતવ્યતા, ભાવીભાવ, નિયતિ... આ બધાં નજીક નજીકના શબ્દો છે. એક કરોડ દેવતાઓ ખડેપગે હાજર હોવા છતાં ગોશાળો તેજલેશ્યા ફેંકી ગયો અને પ્રભુને લોહીના ઝાડા કરાવી દીધા. દરેકે દરેક દેવની તાકાત હોવા છતાં કોઈ પ્રભુને બચાવવા વચ્ચે ન પડ્યું. અરે ! તેજલેશ્યા ફેંકાઈ ગયા પછી પણ શીતલેશ્યા મૂકવાનું ઈન્દ્ર, ગણધર વગેરેમાંથી કોઈને મન ન થયું... છતાં પરમાત્મા પ્રસન્ન છે. કારણ કે સમજે છે - આ હોનહાર છે. અત્યંત વિનયી અને અનંત 372