SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ - તંત્ર અને મૂળિયા વિનાનું વશીકરણ એટલે જ મધુર વચન. જો મધુર વચન બોલતા આવડે તો સામેવાળી વ્યક્તિ ભલે ગમે તેવી હોય પણ, તમારી વાણી તેને પલટાવીને જ રહે. તે વ્યક્તિ તમને વશ થઈને જ રહે. તમને નુકસાન પહોંચાડનારી વ્યક્તિ તમારા મધુરા વચનથી તમને વશવર્તી થઈને જ રહેશે. જો મીઠા શબ્દો બોલીને પંપાળશો તો કૂતરો પૂછડી પટપટાવશે. હટ-હટ કરે રાખશો તો કૂતરો ય તમને વફાદાર નહીં રહે. જો કૂતરા જેવો કૂતરો પણ મીઠા શબ્દોની અપેક્ષા રાખે છે. તે બીજા બધા તો માણસ છે ! તેને તો મીઠા શબ્દોથી જ બોલાવાય ને ? એક વાર મીઠા શબ્દો બોલવાનું શરૂ કરો. પછી જુઓ કે દીકરા -દીકરી, તમારો પરિવાર - તમારું માને છે કે નહીં ? “દીકરા-દીકરી મારું માનતા નથી' - આવી ફરિયાદ કરતાં પહેલા મારા શબ્દો તીખા -તમતમતા તો નથી ને ?' - આ વાતની તપાસ કરી લેવી અનિવાર્ય છે. આજથી એક સંકલ્પ કરી લો કે જો મોઢામાંથી મીઠા શબ્દો નીકળવા શક્ય નહીં હોય તો મૌન થઈ જઈશ. પણ કડવા શબ્દો તો મોઢામાંથી નહીં જ કાઢું. મારા મોઢામાંથી જો શબ્દ નીકળશે તો તે મીઠા જ નીકળશે ! દીકરા-દીકરીને ઉઠાડવાના આવે તો તમે કેવી રીતે ઉઠાડો ? એક વાર તમે ઉઠાડ્યા છતાં ન ઉઠ્યા એટલે પછી તરત જ મોઢામાં અપશબ્દો સ્થાન લેવા માંડે કે નહીં ? તમે એવી રીતે હચમચાવીને ઉઠાડો કે જેમાં એને લાગણીનો કે વાત્સલ્યનો કોઈ સ્પર્શ ન અનુભવાતો હોય તો એ બિચારાને ઉઠવાનું મન પણ શી રીતે થાય ? રોજ સવારસવારમાં તમારા પ્રત્યે એને અણગમો પેદા થઈ જાય. સવારના ફ્રેશ મગજમાં જે ઈઝેશન પડે તે ગાઢ હોય છે. માટે, તમારા માટેનો અણગમો દિન-પ્રતિદિન વધતો જ જાય. હવેથી એને મીઠા શબ્દોથી, વહાલથી ઉઠાડી જો જો, વધારે વહેલો ઉઠવા માંડશે. આના માટે તમારે સમયનો થોડો ભોગ આપવો પડે. દેરાસરમાં ચૈત્યવંદન તમે કરી રહેલા હો અને ત્યારે કોઈ 313
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy