________________ - તંત્ર અને મૂળિયા વિનાનું વશીકરણ એટલે જ મધુર વચન. જો મધુર વચન બોલતા આવડે તો સામેવાળી વ્યક્તિ ભલે ગમે તેવી હોય પણ, તમારી વાણી તેને પલટાવીને જ રહે. તે વ્યક્તિ તમને વશ થઈને જ રહે. તમને નુકસાન પહોંચાડનારી વ્યક્તિ તમારા મધુરા વચનથી તમને વશવર્તી થઈને જ રહેશે. જો મીઠા શબ્દો બોલીને પંપાળશો તો કૂતરો પૂછડી પટપટાવશે. હટ-હટ કરે રાખશો તો કૂતરો ય તમને વફાદાર નહીં રહે. જો કૂતરા જેવો કૂતરો પણ મીઠા શબ્દોની અપેક્ષા રાખે છે. તે બીજા બધા તો માણસ છે ! તેને તો મીઠા શબ્દોથી જ બોલાવાય ને ? એક વાર મીઠા શબ્દો બોલવાનું શરૂ કરો. પછી જુઓ કે દીકરા -દીકરી, તમારો પરિવાર - તમારું માને છે કે નહીં ? “દીકરા-દીકરી મારું માનતા નથી' - આવી ફરિયાદ કરતાં પહેલા મારા શબ્દો તીખા -તમતમતા તો નથી ને ?' - આ વાતની તપાસ કરી લેવી અનિવાર્ય છે. આજથી એક સંકલ્પ કરી લો કે જો મોઢામાંથી મીઠા શબ્દો નીકળવા શક્ય નહીં હોય તો મૌન થઈ જઈશ. પણ કડવા શબ્દો તો મોઢામાંથી નહીં જ કાઢું. મારા મોઢામાંથી જો શબ્દ નીકળશે તો તે મીઠા જ નીકળશે ! દીકરા-દીકરીને ઉઠાડવાના આવે તો તમે કેવી રીતે ઉઠાડો ? એક વાર તમે ઉઠાડ્યા છતાં ન ઉઠ્યા એટલે પછી તરત જ મોઢામાં અપશબ્દો સ્થાન લેવા માંડે કે નહીં ? તમે એવી રીતે હચમચાવીને ઉઠાડો કે જેમાં એને લાગણીનો કે વાત્સલ્યનો કોઈ સ્પર્શ ન અનુભવાતો હોય તો એ બિચારાને ઉઠવાનું મન પણ શી રીતે થાય ? રોજ સવારસવારમાં તમારા પ્રત્યે એને અણગમો પેદા થઈ જાય. સવારના ફ્રેશ મગજમાં જે ઈઝેશન પડે તે ગાઢ હોય છે. માટે, તમારા માટેનો અણગમો દિન-પ્રતિદિન વધતો જ જાય. હવેથી એને મીઠા શબ્દોથી, વહાલથી ઉઠાડી જો જો, વધારે વહેલો ઉઠવા માંડશે. આના માટે તમારે સમયનો થોડો ભોગ આપવો પડે. દેરાસરમાં ચૈત્યવંદન તમે કરી રહેલા હો અને ત્યારે કોઈ 313