________________ X3 અટવીમાં એક વાર રાજા, મંત્રી અને સૈનિક ત્રણેય છૂટા પડીને ભૂલા પડ્યા. વચ્ચે એક ઝૂંપડી હતી. તે ઝૂંપડી ઉપર સૌથી પહેલી નજર સૈનિકની પડી. તે તરફ સેનિક ગયો. ઝૂંપડીની બહાર એક સુરદાસ વ્યક્તિ બેઠી હતી. બીજી કોઈ વ્યક્તિ ત્યાં દેખાતી ન હતી. સૈનિકે તેને પૂછ્યું - “એ આંધળા ! નગરનો રસ્તો કઈ તરફ છે? અહીંથી કોઈ પસાર થતા હોય તેવું જણાયું ?" પેલી વ્યક્તિએ તો ઈશારાથી નગર તરફ જવાનો રસ્તો જણાવી દીધો. તેમજ “અહીંથી કોઈ પસાર થયું નથી' - તેમ પણ જણાવી દીધું. થોડી વાર બાદ ત્યાંથી મંત્રી પસાર થયો. તેમણે એ અંધવ્યક્તિને જોઈને પૂછ્યું - ‘પ્રજ્ઞાચક્ષુ ભાઈ ! અહીંથી નગર તરફ જવાનો રસ્તો ક્યો ? અહીંથી કોઈ નગર તરફ ગયું છે ?' એ અંધ વ્યક્તિએ જવાબ આપ્યો - “મંત્રીશ્વર ! આ તરફ જવાથી નગર આવશે. હમણાં જ એક સૈનિકભાઈ અહીંથી ગયા છે. ઝડપથી જશો તો ભેગા થઈ જવાશે.” મંત્રી ઝડપથી ચાલી સૈનિકને ભેગો થઈ ગયો. થોડી વાર બાદ રાજા પણ ત્યાં આવ્યો. એણે પૂછ્યું - “સુરદાસજી ! અહીંથી નગર તરફ જવાનો રસ્તો કયો? આ રસ્તે બીજું કોઈ પસાર થયું છે ?' એ અંધ 306