SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ જગતમાં તો તમે રાજા કહેવાશો. ગુણવૈભવ તમારા ચરણે આળોટશે. પણ, તે માટે આ વાક્ય તો આત્મસ્થ કરવું જ પડશે કે - “જે થાય તે સારા માટે !" પ્રતિકૂળ સંયોગોમાં આપણે અકળાઈ ઉઠીએ છીએ. તેની પાછળ કારણ આ જ છે કે - “જે થાય તે સારા માટે !' - આ અભિગમ અપનાવી શક્યા નથી. જો આ અભિગમ અપનાવવામાં સફળતા મળે તો ગમે તેવા પ્રતિકૂળ સંયોગોમાં મન પ્રસન્ન રહે. આખરે લગભગ સારું જ થતું હોય છે. રાજકોટમાં ચોમાસામાં પણ આ જ પોલિસીની વાત કરી હતી. ચોમાસા બાદ દિનેશભાઈએ મને વાત કરી કે - “સાહેબ ! આપની વાત સો ટકા સાચી છે કે - જે થાય તે સારા માટે !" મેં પૂછ્યું - “કેમ? કોઈ અનુભવ ?' | ‘હા સાહેબ આપનું ચોમાસુ નક્કી થયું ત્યારે સંઘના કાર્યો જોતાં દુકાને ચોમાસા દરમ્યાન ન જવાનું મનોમન જ નક્કી કર્યું હતું. ચોમાસાના ચાર માસ દરમ્યાન દુકાને લગભગ હું ગયો જ નથી. એનો ફાયદો એ થયો કે - ધરખમ નુકસાનીમાંથી હું સાંગોપાંગ બચી ગયો. જો દુકાને હોત તો કેટકેટલાય મેં સોદા પાડ્યા હોત. આ વખતે ચોમાસા દરમ્યાન બજારમાં એવી ઉથલપાથલો થઈ છે કે મેં જબ્બર નુકસાની જ વેઠી હોત ! ખરેખર, ચાર મહિના દુકાને ન ગયો તે સારા માટે ! શ્રાવિકાના અને દીકરાના મનમાં પણ થોડો ઘણો જે રંજ અને અફસોસ હતો, તે પણ સત્ય હકીકત સમજાવાથી ચાલ્યો ગયો. આ મંદીમાં બરબાદ થતો રહી ગયો. એક વાર આ પોલિસી તમે પોતે જ અપનાવી જુઓ તો તમને પણ સ્પષ્ટ અનુભવ થશે. સબૂર ! આ પોલિસીને ઊંધી રીતે ન પકડતા. કોઈના ઉપર ગુસ્સો કરી દીધા પછી “જે થાય તે સારા માટે !' - આવું વિચારવાનું નથી ! જ્યારે પોતાના ઉપર વિપત્તિઓ આવે, પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય, ત્યારે આ પોલિસી અપનાવવાની છે. આ સૂત્ર સ્વદોષ 297.
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy