SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ આખી દુનિયા ગમે તેટલા પ્રયાસો કરે, કોઈ ગમે તેવી ઉથલ પાથલ મચાવે. પણ, કેવલીએ જોયેલા બનાવોમાં લેશ પણ ફેરફાર થતો નથી. જે કેવલીએ કેવલજ્ઞાનમાં જોયું છે તે જ થાય છે. તેમાં તીર્થકરો પણ ફેરફાર કરી શકતા નથી. શાસ્ત્રમાં પ્રતિપાદિત આ સિદ્ધાંત છે. ક્રોધને દૂર કરવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે. જે કેવલીએ જોયું હશે તેવી જ અને તે જ પરિસ્થિતિ તમારા જીવનમાં પેદા થવાની છે. તેમાં ફેરફાર કરવાની તાકાત ખુદ તીર્થકરની પણ નથી. તો પછી જે પણ પરિસ્થિતિ આવે તેને સમભાવે સહન કરવામાં જ શું બુદ્ધિમાની નથી ? હા ! કદાચ જે આપણા હાથની વાત છે, તેને કરી છૂટવા આપણે બનતો પ્રયાસ કરીએ. પણ જે વાત આપણા હાથમાં નથી, જે કેવલીએ જોયું છે તે મુજબ જ થવાનું છે તો પછી તેમાં હાય-વાય કરીને, આર્તધ્યાન કરીને કોઈ ફાયદો ખરો ? કોઈ તમારું અપમાન કરી ગયું, કોઈ તમને છેતરી ગયું... આ બધી પરિસ્થિતિ કેવલીએ જોયેલી છે તેમ જ થાય છે. તેમાં શાંતચિત્તે પસાર થઈ જવું તે જ આપણું કર્તવ્ય છે. તેમાં આવેગ, ઉકળાટ, ઉદ્વેગ આપણને ન શોભે. શા માટે 278
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy