SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ મુજબ, જેમ બહારનો બ્રાહ્મણ ચંડાલના સ્પર્શથી અભડાઈ જાય છે, તેમ આ અંદરનો માંહ્યલો એ પણ ક્રોધ ચંડાલના સ્પર્શથી અભડાઈ જાય છે. “જો ક્રોધને મેં મારી જાત સોંપી દીધી તો હું ચંડાલ જ છું” - આ વાતને વારંવાર ઘૂંટવા જેવી છે. આ સીઝન છે શાંત બનવાની, સંત બનવાની, વસંત ફેલાવવાની, અને તમે સતત અશાંત બની રહ્યા હો, શેતાન બની રહ્યા હો, તમારા પરિચયમાં આવનારને સતત ગ્રીષ્મનો તાપ જ અનુભવાયા કરતો હોય તો સમજવું રહ્યું કે કદાચ મોક્ષ ઘણો દૂર જઈ રહ્યો છે. એક પ્રકારની પાશવી વૃત્તિ એટલે જ અંદરનો ક્રોધ. એક ભારે ક્રોધી મકાનમાલિક હતો. વારે તહેવારે પોતાના ભાડુઆતોનું બધાની વચ્ચે અપમાન કરી નાંખે. બધાં એનાથી ત્રાસી ગયેલા. જે ભાઈને મકાનમાલિકે અત્યંત હેરાન કરેલા, તે ભાઈ એક દિવસ મકાનમાલિક માટે દૂધ લઈ આવ્યા. બદામ-કેસર-એલચીથી મઘમઘતું કઢાયું દૂધ જોઈને મકાનમાલિકને અત્યંત આશ્ચર્ય થયું. આ ભાઈ મારા માટે આવું દૂધ લઈ આવ્યા ! આશ્ચર્ય સાથે એ દૂધ તો પી ગયા. પણ પછી એ પૂછ્યા વિના ન રહી શક્યા. એમણે પૂછ્યું - ૨“શું વાત છે ? આજે આ દૂધ કઈ ખુશાલીમાં ?" “એવું છે ને કે આજે નાગપંચમી છે !!!" મકાનમાલિકની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ. યાદ રહે ! જેમ જેમ તમારો ધર્મ વધતો જાય તેમ તેમ તમારો સ્વભાવ સુધરતો જવો જોઈએ. તો જ તમારો ધર્મ તમારા દુશ્મનને પણ આકર્ષી શકશે. જો તમારો ધર્મ વધતો જાય પણ સ્વભાવ બગડતો જાય તો તમારા પુત્રને પણ તમારો ધર્મ આકર્ષી શકે તેવી શક્યતા નથી. હા ! આજના કાળની આ જ તો કરુણતા છે કે - તમારા પ્ર 2 )
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy