SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ 24 11-Jવા 4Y અંગરક્ષકોએ એ માણસને પતાવી જ દીધો હોત. પણ, અબ્રાહમ લિંકને તરત જ હાથ ઊંચો કરી અંગરક્ષકોને અટકાવી દીધા. અને આખી ઘટનાને એકદમ હળવાશથી લેતા જણાવ્યું - અરે ભાઈ ! થેંક ઊડ્યું છે તો એને રૂમાલથી સાફ કરી દઈએ એટલે વાત પૂરી. આના માટે સ્ટેનગનની શી જરૂરિયાત છે ? રૂમાલથી પતી શકતી ઘટના માટે સ્ટેનગન જેવા ભારેખમ સાધનોની કોઈ જરૂરત ખરી ? અમેરિકા દેશના પ્રમુખનો સર્વોચ્ચ હોદ્દો પોતાની પાસે છે. ધારે તો પળ વારમાં તે માણસને ખતમ કરાવી શકે છે. છતાં અબ્રાહમ લિંકને સાવ સાદી રીતે, હળવી રીતે આખી ઘટનાને સંકેલી લીધી. ઘૂંક ઉડાડવાની ઘટનાને લોહિયાળ બનાવતા તેમનો જીવ ન ચાલ્યો. હળવાશથી તે ઘટનાને લઈ પોતાના મગજ ઉપર કાબૂ રાખ્યો. પરિણામમાં શું મળે ? એ જ કે જે થવું જોઈએ. પેલા વિરોધ પક્ષના સભ્ય આખી ઘટનાને પોતાની સગી આંખોથી નિહાળી રહ્યા હતા. મજ સમજી ગયા કે “મને બચાવનાર આ અબ્રાહમ લિંકન છે. બાકી જો સહેજ જ ઈશારો તેમણે કર્યો હોત તો હું પરલોકમાં રવાના થઈ જ ગયો હોત. ભયંકર કોટિનું અપમાન તેમનું મેં કર્યું. છતાં તેમણે તેને હળવેથી લીધું. ગજબ આત્મસંયમ દાખવ્યો. સંત વ્યક્તિને શોભે તેવી ક્ષમા જાળવી. ભૂલ મારી છે. મારે ક્ષમા માંગવી જ રહી.” અને એ વિરોધપક્ષના સભ્ય અબ્રાહમ લિંકનના પગમાં પડી માફી માંગે છે. સદાના વિરોધ પક્ષના એ સભ્ય પછી તો અબ્રાહમ લિંકનના પ્રશંસક બની ગયા. દુશ્મનમાંથી દોસ્તની ભૂમિકાએ પહોંચે છે. વિરોધપક્ષના સભ્ય પ્રત્યે પણ આ હદની વિશાળતા અને ઉદારતા અબ્રાહમ લિંકન દાખવી શક્યા. કારણ કે ભારે ભરખમ પ્રસંગને પણ તેમણે એકદમ હળવાશથી લીધો. જીવનમાં બનતી પ્રત્યેક ઘટનાઓને ખૂબ જ હળવેકથી, ભારે-ભરખમ અસર લીધા વિના પસાર કરી દેતા જેને આવડે તે જ માણસ સુખી થઈ શકે તેમ છે. - જ્યારે સામેવાળાની ભારેખમ ભૂલને પણ ખૂબ જ હળવાશથી લઈ લેવામાં આવે ત્યારે સામેવાળી વ્યક્તિને ભારે શરમ આવે છે. 149
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy