SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ 196 કરીશ. મરેલાને જીવતા કરવાની જે તારામાં તાકાત હોય તે તારા સેવકેને, તારા ભક્તોને અને તારા પૂર્વજોને સજીવન કર. મિથ્યા બકવાસ ન કર. તારામાં રાજપાટ આપવાની તાકાત હોય તે આ તારા સેવકોને કેમ રાજ આપતું નથી ! વારંવાર તું મને મૃત્યુને ડર બતાવે છે, પણ મેતથી ડરનાર એ જુદા. જેનું આયુષ્ય બળવાન છે. એને મારવાની કેઈની તાકાત નથી. “ધમ રક્ષતિ ક્ષતાઃ” રક્ષણ કરાયેલો ધર્મ મારું રક્ષણ કરનાર છે.” કેશવને આ અડગ, નીડર અને પ્રતિજ્ઞાપાલનમાં દઢ જઈને યક્ષ કેશવના ઉપર ખૂબ પ્રસન્ન થયે. યક્ષે કેશવને આલિંગન કર્યું અને કેશવની દૃઢતાનાં ખૂબ વખાણ કર્યા. યક્ષે કહ્યું, “કેશવ! સાચી વાત છે, આ તારા ગુરુ નથી. મરેલાને જીવાડવાની મારી તાકાત નથી. હું કેઈને રાજ્ય વગેરે પણ આપી શકતો નથી.” આ પ્રમાણે જ્યારે યક્ષ છે ત્યારે મુનિના વેશમાં જમીન પર પડેલું મડદું આકાશમાગે પલાયન થઈ ગયું. કેશવને સાત દિવસના ઉપવાસ થવા છતાં અને યક્ષના ઘોર ઉપસર્ગ છતાં તે જરાય ન ડગે, ત્યારે યક્ષે કહ્યું “તુ આરામ-વિશ્રામ કર અને પ્રાત:કાળે આ બધાની સાથે પારણું કરજે.” આમ કહેતાંની સાથે તે યક્ષે તરત જ તે સ્થળે પોતાની માયાથી એક શય્યા તયાર કરી અને તેને બતાવી, જેમાં કેશવ નિરાંતે સૂઈ ગયો અને ભક્તજને. તેને પગ દબાવવા લાગ્યા. તે ખૂબ થાકી ગયા હોવાથી તત્કાળ નિંદ્રાધીન થયે.
SR No.032822
Book TitleAahar Shuddhi Prakash
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Prakashan Samiti
PublisherDivya Darshan Prakashan Samiti
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy