SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ કેશવ જ્યારે મનમાં આ પ્રમાણે વિચારી રહ્યો હતો ત્યારે યક્ષે મુનિને મારવા માટે મુદગર ઉપાડયું અને તે બેલી ઊઠયો : “અલ્યા કેશવ! બાલ, ભજન કરે છે કે નહિ ! નહિતર તારા ગુરુના કકડે કકડા કરી નાખું છું, કેશવે તરત જવાબ આપ્યો, અરે યક્ષ! આ મારા ગુરુ તારા જેવાથી ઠગાય નહીં. પોતે ઢીલા થાય નહી અને બીજાને ઢીલા કરે નહીં. મારા ગુરુ તે ભલભલાથી ગાંજ્યા જાય તેવા નથી. આ તો તારી માયાજાળ છે. કેશવે જ્યારે કહ્યું કે આ મારા ગુરુ નથી ત્યારે એ નકલી બનાવટી માયાવી ગુરુએ કહ્યું : “કેશવ! તારો ગુરુ છું, મને બચાવ, નહિતર આ યક્ષ મને કચડી નાખશે.” અને તરત જ યક્ષે તો મગરથી મુનિની ખાપરીના ચૂરેચૂરા કરી નાખ્યા અને મુનિના પ્રાણ ચાલ્યા ગયા. છતાંયે કેશવ તે પિતાની પ્રતિજ્ઞામાં અવિચળ દઢ રહ્યો. યક્ષે કહ્યું : “અલ્યા સમાજ ! સમજ ! જે તું ભજન કરે તે હું તારા મરેલા ગુરુને સજીવન કરું ! અને તેને અડધું રાજ આપું અને જે નહિ માને તે આ મુદ્દગરથી તારા પ્રાણ લઈશ.” કાયર અને બાયલાઓ આવા કપરા પ્રસંગે હિંમત હારી જાય, પણ ધર્યધારી કેશવ તે હસતા મુખે યક્ષને કહેવા લાગ્યો : “અરે યક્ષ ! અમારા ગુરુ આવા હોય જ નહિ, એ બાબતની મને પૂરી ખાતરી છે. તું તારા સ્થાને ચાલ્યો જા. કેઈ પણ ભેગે હું નિયમને ભંગ કરીશ. નહીં, બલકે મારા પ્રાણુના ભેગે પણ પ્રતિજ્ઞાનું પાલન
SR No.032822
Book TitleAahar Shuddhi Prakash
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Prakashan Samiti
PublisherDivya Darshan Prakashan Samiti
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy