SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ માનવદેહ, ધ્યાન રાખજે, પુણ્યનો છે. પુણ્યનો એટલે ? પુણ્યથી મળેલો અને મહાપુણ્યના થોક ઊભા કરવા માટે બહુલાયક ! માત્ર એક વખતનાં જ પુણ્ય નહિ, પણ પુણ્યની પરંપરા સર્જી લેવા માટે અનુપમ દેહ ! એને હું મૂર્ખ-શિરોમણિ એ વખતે પત્ની રૂપી ઉપાધિ મરી ખૂટ્યા બાદ પણ સોળ સોળ વરસના અને એ પછીનાં પણ કાળાં રુદનથી વિણસાડી રહ્યો હતો ! ઉપાધિ ટળ્યા પછી પણ અનંત પુણ્ય મળેલા માનવદેહથી પરમાત્મ-ભક્તિ અને પરમાત્માની આજ્ઞાનું પાલન કરી થોક પુણ્ય ઊભું કરવાનું તો દૂર રહ્યું, ઊલટું એને પાપી શોકમાં બાળી શેકી રહ્યો હતો ! ઉપાધિના આગમન, ટકાવ અને નાશ, એ ત્રણેય સ્થિતિમાં આત્માની મહાકંગાલ અને કરુણાપાત્ર દુર્દશા સમજાય છે ને ? | મુનિ ચન્દ્રને સમજાવે છે, એ તમારી સમજમાં પણ ઉતરે છે ને ? એ મંજુર કરો છો ? “હા સાહેબ ! સમજાય તો છે પણ શું થાય, ઉપાધિ લઈ બેઠા એટલે ?'- એમ તમે કદાચ કહેવાના, પણ શું આવું એકલું કથન નિષ્ફર દિલનું નથી ? નહિતર તો કોમળ ભાવુક દિલનું શ્રવણ-કથન હોય ને, તો તો ઉપાધિના ત્રણેય કાળના તાપ-સંતાપ તો ખરાં જ, ઉપરાંત એનાથી ઊભા થતાં ઢગલાબંધ પાપ કર્મોનાં ભયંકર કટુ વિપાક નજર સામે તરવરે ! અને એથી ભડકી ઉઠો ! એમ થઈ જાય કે હાય ! આ બલા ઝટ મૂકીને ભાગું ! જો નથી મૂકાતી તો મારી એ કેવી ધિઠ્ઠાઈ ! કેવી હજીય બેભાન અવસ્થા ! ઉપાધિ મૂકવાના ભવમાં આ ? ખેર ! ઉપાધિ બહુ વધારવાના કોડ ન કરું, ઉપાધિની ખાતર કાળા કષાય, જૂઠ-દંભ, ઇર્ષ્યા-અસહિષ્ણુતા, રોફ, જહાંગીરી વગેરે દુર્ગુણો તો ન લેવું ! ઉપાધિના ગુણગાન તો ન કરું,” આટલું તો થાય ને ? આજનો માનવ કેમ બહેકી ગયો છે? કેમ અનીતિ-અસત્યને અને રગડાઝઘડાને કઠોર દિલે આચરી રહ્યો છે ? જેની પાછળ એ બધું છે એવી ઉપાધિને પાપ નથી સમજતો, બલારૂપ નથી દેખતો, માનવતામાંથી પશુતામાં ભ્રષ્ટ કરનાર પ્રલોભન તરીકે નથી લખતો, ને એના આવવા 136 ઉપાધિ થી સમાધિ તરફ
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy