SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ 8 પદાર્થસંગ્રહ અહીં 6 ધાર છે. તે આ પ્રમાણે - (1) લક્ષણ - જે વીર્યવિશેષથી જીવ ઉદયાવલિકા ઉપરની સ્થિતિમાં રહેલા કર્મદલિકોને ખેંચીને ઉદયાવલિકામાં નાંખે તે ઉદીરણાકરણ કહેવાય છે. (2) ભેદ - ઉદીરણાના ચાર ભેદ છે - પ્રકૃતિ ઉદીરણા, સ્થિતિઉદીરણા, રસઉદીરણા અને પ્રદેશઉદીરણા. આ દરેકના 2-2 ભેદ છે - મૂળપ્રકૃતિવિષયક ઉદીરણા અને ઉત્તરપ્રકૃતિવિષયક ઉદીરણા. મૂળપ્રકૃતિવિષયક ઉદીરણાના 8 ભેદ છે અને ઉત્તરપ્રકૃતિવિષયક ઉદીરણાના 158 ભેદ છે. પ્રકૃતિઉદીરણા (3) સાધાદિ પ્રરૂપણા - મૂળપ્રવૃતિઓમાં પ્રકૃતિ ઉદીરણાના સાધાદિ ભાંગા :1. કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા 1 ની ચૂણિમાં પાના નં. 1 ઉપર કહ્યું છે કે, “જે વીર્યવિશેષથી જીવ ઉદયાવલિકા ઉપરની સ્થિતિમાં રહેલા કર્મલિકોને ખેંચીને ઉદયસમયમાં નાંખે તે ઉદીરણાકરણ કહેવાય છે.' પંચસંગ્રહ ઉદીરણાકરણ ગાથા 1 ની સ્વોપજ્ઞ ટીકામાં પાના નં. 109 ઉપર કહ્યું છે કે, “જે વીર્યવિશેષથી જીવ ઉદયાવલિકા ઉપરની સ્થિતિમાં રહેલા કર્મલિકોને ખેંચીને ઉદયપ્રાપ્તસ્થિતિમાં નાંખે તે ઉદીરાકરણ કહેવાય છે.”
SR No.032799
Book TitlePadarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages298
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy