SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ દશ પ્રકારની ઉપધિનું પરિમાણ (ix) પછી ઉત્તપટ્ટાનું પડિલેહણ કરવું. આ દશ વસ્તુઓનું પડિલેહણ સૂર્યોદય પૂર્વે કરવું. સૂર્યોદય વખતે દાંડાનું પડિલેહણ કરવું. પછી કાજો લઈ સજઝાય કરવી. સવારે પાત્રાનું પડિલેહણ ઉપધિ સાથે કરવાનું હોતું નથી. સવાર-સાંજનું પડિલેહણ ઉભડકપગે બેસીને કરવું. (2) પહેલો પ્રહર પોણો પૂરો થાય ત્યારે પાત્રા સંબંધી ઉપકરણોનું પડિલેહણ કરવું. આ પડિલેહણ બેઠા બેઠા કરવું. પહેલા મુહપત્તિનું પડિલેહણ કરી આ ક્રમે પડિલેહણ કરવું - (i) ઉપરનો ગુચ્છો (i) પડલા (ii) પૂંજણી (iv) ઝોળી (4) પાત્રા (vi) રજસ્ત્રાણ (vi) પાત્રાસન (નીચેનો ગુચ્છો). (3) ત્રીજા પ્રહરમાં ચૌદ ઉપકરણોનું આ ક્રમે પડિલેહણ કરવું. (1) મુહપત્તિ (i) ચોલપટ્ટો (i) ગુચ્છા (vi) પડદો (v) ઝોળી (vi) પડલા (ii) રજસ્ત્રાણ (vii) પરિઝાપનક (પરઠવવાનું ભાજન) (i) માત્રક (4) પાત્રા (x) રજોહરણ (xii)-(xiv) ત્રણ કપડા (કામળી અને બે કપડા). બાકીની ઔત્સર્ગિક ઉપધિનું પણ પડિલેહણ કરવું. | દશા પ્રકારની ઉપધિનું પરિમાણ (1-3) રજોહરણ, 2 નિષદ્યા - જીવરક્ષાથી અંદરની રજને હરે અને પ્રમાર્જવાથી બહારની રજને હરે તે રજોહરણ. વસ્તુ લેતાં-મૂકતાં, બેસતાં, ઊઠતાં, સૂતાં, હાથ-પગ સંકોચતાં-પસારતાં પહેલા જોવું અને રજોહરણથી પ્રમાર્જવું. લિંગ માટે પણ રજોહરણ ધારણ કરવું. રજોહરણ 32 અંગુલ લાંબુ હોય છે. તેમાં 24 અંગુલની દાંડી અને 8 અંગુલની . દશી હોય છે. અથવા દાંડી અને દશીનું પ્રમાણ ઓછું-વતુ હોઈ શકે. 26 અંગુલની દાંડી અને 6 અંગુલની દશી હોય, અથવા 20 અંગુલની દાંડી અને 12 અંગુલની દશી હોય. દશી સહિતની કામગીની નિષદ્યા (વિશેષ પ્રકારનું વસ્ત્ર) તે રજોહરણ. તેની ઉપર એક સૂતરાઉ નિષદ્યા કર અંગ અથવા અગલની સહિતની
SR No.032794
Book TitlePadarth Prakash 22 Yatidin Charya
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages246
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy