SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ૨] દેશના દેશનાથિયા પર ચડી નહીં શકે. આ રીતે વિશ્વ શબ્દ રાખીને અશક્ય વાત આગળ કરી શક્ય વાતને ખસેડવા માગતા નથી. ગામ બહાર ભવાઈઆ નાચતા હતા. એક કણબી તાનમાં આવી ગયે ને ભવૈયાને ભેંસ આપી દીધી. પછી મનને થયું તે આ તે બની ઉઠી. ભવે આગળ પ્રશંસામાં ગયે. એટલે કણબીએ કહ્યું-બે આપી. અરે ! આખા ગામની આપી. એટલે શું થયું ? એક આપી હતી તે પણ ગઈ ! જેમ પેલાએ બે પાંચ કરતાં આખાં ગામની આપવાનું કહી એકની વાત પણ ઉડાડી દીધી. એક વાત કહીને એટલે કે-એક વિશ્વની કહીને બીજી વાત ઉરાડી દેવા માંગુ છું, તેમ નથી. સામાન્યથી મનુષ્યનું ધ્યેય ઊંચામાં ઊંચું હોવું જોઈએ, એમ કહેવા માંગુ છું. ધ્યેય ત્યાં સુધી ઊંચું હોવું જોઈએ કે--ન પુનરાવૃત્તિ: એ વસ્તુ એક જન્મથી શક્ય નથી, છતાં યેય એ રાખ્યું. અશ કય લાગતી વસ્તુ સજ્જનેએ મગજમાં રાખવી જોઈએ. આત્માનું પ્રાબલ્ય એવું છે કે અશક્ય વસ્તુ પણ અભ્યાસથી કાળે આત્માને સુસાધ્ય થાય છે. બચપણમાં બેસતા ક્યારે ? મા પાછળ હાથ રાખતી ત્યારે તે વખતે દેડવાની-કૂદવાની શક્તિને સંબંધ ખરે? અશક્ય. અત્યારે ? એ પ્રમાણે કાળાં તરે, અભ્યાસે, પરિવર્તને કેટલી વસ્તુ અશક્ય હોય તે પણ સુશક્ય થાય છે, માટે આખા વિશ્વને અંગે જે દુખ કાળ વાની બુદ્ધિ, સુખાપ્તિની બુદ્ધિ મારા માટે જે પ્રયત્ન કરું, તે જ પ્રયત્ન તેના સુખ મેળવવા માટે, દુઃખ ટાળવા માટે પ્રયત્ન કરું. એ વાત ભાવનામાં હંમેશાં રાખવી. એક વાત ધ્યાનમાં રાખવી. ટૂંકું પણ કરી શકે તે ધીમે ધીમે લાંબું કરે. ઠેલણ ગાડીએ ચાલવા માંડયા. ધીમે ધીમે કૂદ
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy