SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ 46 નિયાગાષ્ટક | અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મ છે, હોમવાની વસ્તુ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હામનાર હેમેલું પણ બ્રહ્મ છે અને બ્રહ્મરૂપ કર્મસમાધિવાળાએ પ્રાપ્ત કરવા યોગ્ય સ્થાન પણ બ્રહ્મ જ છે”. / कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः। स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् // તા અધ્યાય છે 28 આ “જે નિષ્કામ કર્મમાં અકર્મને અને અજ્ઞાનપૂર્વક અકર્મમાં કર્મને જુએ છે, તે મનુષ્યમાં બદ્ધિમાન છે, યોગી છે અને સર્વ કર્મને કર્તા છે. - ઈત્યાદિ ગીતામાં કહેલ નિશ્ચય નયે સર્વ સાધનને આત્માની તત્પરતાએ જાણવું, પણ નિરંજન બ્રહ્મને કર્મ, તક્લાર્પણ તથા કૃતને એકાતે અકૃતત્વબુદ્ધિ તે તો મિથ્યાત્વ વાસના વિલસિત જ છે. * હે વિદ્વાન ! જે તું બ્રહ્માર્પણ એટલે સર્વ પિતે કરેલા અનુષ્ઠાનને પરમાત્માને અર્પણ કરવું, “આ બધું પરમાત્માએ કર્યું છે, મેં કંઈપણ કર્યું નથી એવી બુદ્ધિને બ્રહ્મયજ્ઞ-જ્ઞાનયજ્ઞમાં અન્તર્ભાવનું એટલે આત્મિક ભાવરૂપ ફળની પ્રાપ્તિનું કારણ માને છે તે તે “આ મેં કર્યું છે એવા કર્તાપણાના અહંકારને બ્રહ્મરૂપ અગ્નિમાં હોમ કરવાથી યુક્ત છે. તાત્પર્ય એ છે કે બ્રહ્મ-શુદ્ધ તીવ્ર ઉપયોગ સહિત જ્ઞાન અને આશંસા રહિત તપરૂપ અગ્નિમાં જ્ઞાનાવરણાદિ કર્મના કર્તાપણુના અભિમાનની આહુતિ આપવી યોગ્ય છે, પણ અગ્નિમાં પશુને હોમ કર યુક્ત નથી.
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy