SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ હું આત્મા છું પાત્રતા ન પ્રગટ થઈ હોત, કે હું સમ્યક્ત્વને પામી શકું. તેથી પ્રથમ ઉપકાર. ગુરુદેવને છે. એ કૃતજ્ઞતા પ્રગટ કરવા કહે છે : “આત્માનું અપૂર્વભાન મને થયું પણ એ સદ્ગુરુદેવની કૃપાથી,(સદ્ગુરુ દેવનું જાગૃત સત્ મારા સની જાગૃતિમાં નિમિત્ત બન્યો અન્યથા એ સંભવિત ન હતું.' બંધુઓ ! શાસ્ત્રો પણ કહે છે કે અનાદિના મિથ્યાત્વી જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે તે સ્વપુરુષાર્થથી જ, પણ પ્રત્યક્ષ સદ્ગુરુને યોગ ન હોય તે, સગુરુરૂપ અધિગમ ન હોય તે ન જ થાય અધિગમની હાજરી તે જોઈએ જ. તેથી જ સદ્દગુરુને ઉપકાર પણ અમાપ છે. તેઓના પ્રતિ કૃતજ્ઞ ભાવ રહે જ જોઈએ. અહીં શિષ્ય આવી કૃતજ્ઞતા ધરાવે છે તેથી પ્રથમ ગુરુદેવના ઉપકારનું સ્મરણ કરી પછી કહે છે કે “આવ્યું અપૂર્વ ભાન.” અપૂર્વ ભાન શાનું ? આજ સુધી જે ભાન થયું ને તું તે ! “જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુખ અનંત' જેના કારણે અનાદિ સંસારનાં અનંત દુઃખ સહેવાં પડયાં તે નિજ સ્વરૂપની અભાન અવસ્થા. ' સંસારનાં સર્વ વિષયેની સભાનતા તે જીવને પહેલેથી જ છે. અને રહે, છે. પણ પિતાના સ્વરૂપનું જ ભાન નથી. પુદ્ગલના સંગે રહી પુદ્ગલમાં નિજ બુદ્ધિ કરી, દેહાત્મભાવે સદા રાચતે રહ્યો. પણ તેનાથી ઉપર ઉઠી દેહ તે હું નહીં, આવી દશા પ્રગટ થઈ જ ન હતી. તેથી શિષ્ય કહે છે. અનંતકાળમાં જે ને'તું સમજાયું તે સમજાયું. માત્ર બુદ્ધિથી નહીં પણ આત્મામાં ભાન આવ્યું. જેને ભાન હોય તેની જ સાન ઠેકાણે હોય. અભાન અવસ્થામાં સાનનાં ઠેકાણાં ન હેય શરીરથી બેભાન થયેલાને પણ કશી જ ખબર નથી રહેતી તે જે આત્માથી બેભાન થયે હોય તેને આત્મિકદશાની સાન ક્યાંથી હોય ? તેથી જ શિષ્ય એમ નથી કહ્યું કે મને અપૂર્વ સમજણ આવી, અપૂર્વ જ્ઞાન થયું, અપૂર્વ માહિતી મળી. ના! પણ અપૂર્વ ભાન આવ્યું.
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy