SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ભગ્ન થતા હૃદયને તેથી ટેકે મળતું હોય, તે તેવા ધર્મથી પણ તેમને સુખ થાય છે. ભેળો અને વેહેમી માણસ સુધારાની હલકી પાયરીએ ભલે હેય, પણ જ્યાં વેર કે એવું કઈ બીજું ત્રાસજનકરૂપ વેહેમ ધારણ કરતો ન હોય એવા ઘણુ પ્રસંગે તે દુઃખજનક હોતો નથી; અને સુધારાની હલકી પાયરીથી દુઃખ ઉપજતું ન હોય તો તે હલકી પાયરીને જનહિતવાદીની નીતિમાં સ્થાન હોઈ શકે નહિ. શેધક વૃત્તિ સચેત થતાં માત્ર દુઃખદ માન્યતાઓ જ નષ્ટ થશે અને સુખદ માન્યતાઓ બધી રહી જશે એમ માનવું ઘણું ભૂલ ભરેલું છે. અજ્ઞાનનું ભાન અને સંશયની વેદનાઓને અંતરમાં પ્રવેશ કરાવવાથી દુઃખ થાય છે અથવા સહન કરવું પડે છે, અને તે સંશય કાળ વીત્યા પછી પણ કદિ રહે છે. મહાદેવની મૂર્તિને સમક્ષ રાખી ભક્તિ કરતી કોઈ આર્ય મહીલાને જો તમે એમ કહે કે “બહેન, એ પથ્થરમાં પરમેશ્વર નથી, પણ ખરા પરમેશ્વરનું ભજન કરે તો તેમાં તમારું કલ્યાણ છે;” તે ખરા પરમેશ્વરનું ભજન કરવા જતાં તેનો પરમેશ્વર જ ઉડી ચાલ્યો ગયો છે એમ એને લાગશે અને આંખમાં આંસુ લાવી દયામણે ચેહેરે તમને એ કહેશે કે “ભાઈ, મારે પરમેશ્વર તમે ઉપાડી ગયા છો.” આ વખતે જનહિતવાદને ઉભા થઈ રહેવું પડશે. પરંતુ આંતરવાદ અહીં બોલી ઉઠશે કે આપણા ઉપદિષ્ટ મંતવ્યોને માત્ર માનસિક વિકાસની ચીજ ગણવામાં પાપ છે; અને સુખ થાઓ વા દુઃખ થાઓ, પણ સત્ય શોધવાની આપણી ફરજ છે, અને આ ફરજ ઉપયોગિતાના સૂત્રથી કેવળ ભિન્ન છે અને તેનાથી શ્રેષ્ઠ છે. જનહિતવાદમાં જે કાયદાથી નીતિનું પાલન થાય છે તે કાયદા પરત્વે પણ તેમને એક જ સિદ્ધાંત કાંઈક યોગ્ય લાગે છે, અને તે ધાર્મિક કાયદે છે. આ સિદ્ધાંત પ્રમાણે સદાચારની તરફેણમાં સ્વાર્થની પુરાંત હમેશાં રહી શકે છે. પરંતુ અર્વાચીન જનહિતવાદીઓને મોટો ભાગ ધર્મના વિચારને પિતાના મતથી સ્પષ્ટ રીતે અલગ રાખે છે, તેથી તેના સંબંધમાં માત્ર એક બે વાતે જ આપણે જેશું. પ્રથમતે, દેવની ઈચ્છા જ જે નીતિને કાયદે માત્ર હોય, તે પછી
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy