SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ, 31 જાતના વહેમથી મનુષ્યોને અવર્ણ સંતાપ અને કલેશ થએલા છે. પરંતુ બીજા કેટલાક વહેમોમાં તેથી ઉલટું વલણ રહેલું છે. ઘણીવાર હૃદયની આતુર ઈચ્છાઓ તેમનાથી તૃપ્ત બની સંતોષ પામે છે. જે વાત તર્કથી કેવળ શક્ય કે સંભવિત લાગે છે તે વાત તેમનાથી નિશ્ચિત બની આપણામાં ગાઢ આસ્થા અને પ્રેમ ઉપજાવે છે, અને એવા વિચારોની પ્રાપ્તિ કરાવે છે કે કલ્પનાને તેમના ઉપર ઠરતાં આનંદ પ્રાપ્ત થાય છે, કેટલીક વખતે નૈતિક સત્યને પણ તેમનાથી નવું વજન મળે છે. હૃદયમાં એવી જરૂરીઆતે તેઓ ઉભી કરે છે કે જે તેમનાથી જ સંતોષ પામે એવી ધાસ્તીઓ ઉભી કરે છે કે જે તેમનાથી જ નષ્ટ થાય; આમ મનુષ્ય જીવનમાં ઘણીવાર તેઓ સુખનાં આવશ્યક તો બને છે અને દુઃખને દીલાસે મળી શકે છે. જ્ઞાન કરતાં મેહના આપણે વિશેષ ઋણી છીએ, વિચારના પ્રદેશમાં, તર્કનું સામર્થ્ય તો વિશેષે કરીને ટીકા અને સંહારમાં સમાએલું હોય છે. પરંતુ કેવળ રચનાત્મક કલ્પના આપણા સુખમાં ઘણું કરીને વધારે સહાયભૂત થાય છે. હાથે બાંધેલા તાવીજથી કે કોઈ પવિત્ર છબી ઘરમાં હોવાથી પોતાના સંરક્ષણની અશિક્ષિત મનને એવી તો ખાત્રી રહે છે કે તેથી દુ;ખને વખતે ખરેખર દીલાસે તેને જે મળે છે, તેવો દીલાસો તત્ત્વજ્ઞાનના ભવ્ય સિદ્ધાંતથી પણ મળતા નથી. જેના ઉપર પતે આધાર રાખી શકે એવી કઈક વસ્તુ શોધી કાઢવાની હૃદયની ઉપર છે; અને દુઃખદ અને સંતાપજનક સંશયમાંથી મુક્ત થવું એ રસ્તો સામાન્ય માણસોને સુખ મેળવવામાં ઘણે ઉપયોગી થાય તે ધર્મની કઈ સંસ્થા અસત્ય, વહેમી અને પશ્ચાતગામી ભલે હોય, પણ તેથી વિશ્વની પ્રકૃતિ સમજવાની ચાવી મળે છે એમ જન-સમૂહને મોટો ભાગ જે માનતો હોય, જ્યારે હૃદયને ચીરી નાંખે એવા દુઃખના સમયે ઉંચા પ્રકારના વિવેકની વાતે શુષ્ક લાગે ત્યારે જે તેમને એનાથી ખરે દીલાસે મળતો
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy