SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ યૂપીય પ્રજાના આચરણને ઇતિહાસ. પણ લાગતું ગયું કે બીજાના આત્મ-ભોગથી પિતાને તે લાભ જ થાય છે; તેજ હોય છે. આમ આત્મ-બેગમાં સૌને સર્વોત્તમતા સમજાવા લાગી. અને પરિણામે જેથી સમાજને નુકસાન થાય તેને દુર્ગુણ કહી સૌ નિંદવા લાગ્યા અને જેથી સમાજને લાભ થાય તેને સદ્દગુણ કહી તેની સૈ પ્રશંસા કરવા લાગ્યાં. પરંતુ આ મત તરફ લોકોનું હવે વાજબી દુર્લક્ષ છે. * પરંતુ સાંકડા વિચારના કેટલાક જનહિત વાદીએ હૈબઝના અનુયાયી ઓ છે. તેઓ કહે છે કે માણસની પ્રવૃત્તિ માત્ર સ્વાર્થથી જ થાય છે. માત્ર મળે તે પુણ્ય અને ન મળે તે પાપ. સદ્દગુણને સદ્દગુણની ખાતર કોઈ ઇચ્છતું નથી; એમ બનવું જ અશકય છે. પરમેશ્વરને આપણે કલ્યાણકારી કહીએ છીએ તેનું કારણ એટલું જ કે આપણું કલ્યાણ તે કરે છે. કોઈ આપણું સારું કે નરસું બને બની કરી શકે એમ છે છતાં આપણું ભલુંજ તે કરશે એમ જ્યારે આપણને ખાત્રી થાય છે ત્યારે તેના તરફ આપણને પૂજ્ય બુદ્ધિ થાય છે. ભક્તિ કરવાથી સુખ અને મા મળશે, નહિ તે દુઃખ થશે એમ માની માણસે પ્રભુની ભકિત કરે છે. નીતિને દરેક મને ભાવ આપણું સ્વાર્થ બુદ્ધિનું કઈને કઈ અંશે રૂપાંતર માત્ર હોય છે. બીજા આપણને મોટા ગણી માન આપે, વખત આવ્યે તેઓ પણ આપણા ઉપર ઉદારતા બતાવે, અને બીજાની ઈચ્છાઓ આપણે પણ તૃપ્ત કરી શકીએ એવી આપણામાં શક્તિ છે એવો આપણને તેથી સંતોષ કહે, માટે આપણે ઉદારતા કરીએ છીએ. દયા પણ આપણે આપણા ઉપરજ બતાવીએ છીએ, અન્ય ઉપર નહિ. બીજાનું દુઃખ જોઈ તેવું દુઃખ આપણને પિતાને કદિ પડે તેની તીવ્ર કલ્પના થવાથી બીજા પ્રત્યે આપણે દયાની લાગણી બતાવીએ છીએ. આપણું ઉપર દુ:ખ પડવું ન જોઈએ એમ ગણી જેના ઉપર દુઃખ પડવું લાજમ નથી તેના પ્રત્યેજ આપણે ઘણું કરીને દયા બતાવીએ છીએ. મિત્રતા પણ વાર્થવૃત્તિને પિષવાજ શોધાય છે. જેની આપણને જરૂર હોય તેને જ મિત્ર કરવા આપણે મથીએ છીએ.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy