SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ 314 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ફતેહ મેળવવા રાજાએ ખ્રિસ્તિ થતા હતા. કેન્સ્ટનટાઈન અને કલવિસને દઢ શ્રદ્ધા હતી કે લડાઈમાં અણીને સમયે તેમને દૈવી સહાય મળી હતી અને તેથી જ તેઓ ખ્રિસ્તિ થયા હતા. આવી માન્યતાને લીધે ખ્રિસ્તિ ધર્મ જંગલીઓમાં પ્રસરી ગયો હતો તે આપણે જાણીએ છીએ. તેથી લડાયક ધિંધાની વિરૂદ્ધ બોલવું હવે ખ્રિસ્તિ ધર્મને પાલવે તેમ નહોતું. વળી ઉત્તર તરફની લડાયક જાતે ખ્રિસ્તિ થઈ, પરંતુ નવા ધર્મમાં પોતાના જૂના વિચાર તેઓ લેતી આવી હતી. વળી રેમના રાજ્યની પડતી પછી રાજ્ય વ્યવસ્થામાં અંધાધુની ચાલતી હતી. દેટા ફ્રિસાદ અને ઝપાઝપી ઘણી થતી હતી, અને બળીયાના બે ભાગ એ ન્યાયે ન્યાય થતો હતો. વળી રાજાઓ પિતાના મોટા મોટા સરદારોને જમીન આપતા હતા; અને બદલામાં લડાઈને વખતે લશ્કરી સહાય માગતા હતા. જાગીરની આવી વ્યવસ્થાને અનુસરીને પાછલા જમાનામાં ઘણા ધર્મગુરૂઓ અને મઠાધિપતિઓ પણ પિતાનાં માણસોને લઈ લડવા જતા હતા. આ પ્રમાણે લડાઈને ધંધે આબરૂદાર ગણવા લાગ્યો; અને ખ્રિસ્તિઓ તેને માથે જે કલંક મૂકતા હતા તે ધીમે ધીમે ધેવાઈ ગયું. તથાપિ એકંદરે ખ્રિસ્તિ ધર્મ સલાહ શાંતિને ચાહનારો જ રહ્યો હતો, અને તેથી લડાઈને ઉત્તેજન આપી વધારો નહિ. છતાં એજ ધર્મ ક્રસેડ નામનાં ધર્મયુદ્ધો કરવા કેમ તૈયાર થયે તેનું બીજું કારણ છે. આ ધર્મ યુદ્ધોનું મુખ્ય કારણ મુસલમાની ધર્મને દાખલો અને તેણે ઉપજાવેલી બીક હતી. કલ્પના ઉપર અસર કરતા ચિત્રો કે પ્રતિકૃતિઓની સહાય વિના, ધર્મગુરૂઓની વિશાળ અને બારીક વ્યવસ્થા વિના, અજ્ઞાનીઓ અને જંગલીઓને કેવળ વિશુદ્ધ એકેશ્વરવાદને ઉપદેશ કરતે, અને એકદરે બહુ ઉંચા પ્રકારની નીતિનું શિક્ષણ આપતો, આ ઈસ્લામી ધર્મ ત્વરાથી ફેલાઈ ગયો; અને પિતાના અનુયાયીઓનાં મન એવાં તે એણે વશ કરી લીધાં કે બીજા કોઈ ધર્મ એવાં વશ કર્યો નહિ હોય. કેવળ આસ્થાથી મોક્ષ મળે છે એ સિદ્ધાંત એણે ખ્રિસ્તિ ધર્મમાંથી લીધે. અને સ્વર્ગનાં
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy