SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ કેન્સ્ટનટાઈનથી શાલમેન સુધી. 363 પેલેસ્ટાઈન અને ઇટાલીમાંથી નીકળ્યો. આ કામમાં આવેલડના સાધુઓએ આગળ પડતો ભાગ લીધો છે. યુરોપમાં જ્યારે કેવળ અંધાધુની ચાલતી હતી ત્યારે આ સાધુઓએ દેશ દેશમાં ફરી ખ્રિસ્તિ ધર્મની જમાવટ કરી દીધી. પરંતુ તે સમયમાં અર્થાત રેમનું રાજ્ય અસ્ત પામ્યું ત્યારથી તે શાર્લમેનના સમય પર્યત યુરોપમાં એકંદરે વેહેમ અને દુરાચાર ઘણું જ વધી પડયાં હતાં. છતાં આ અંધાધુનીમાંથી પણ નવીન સમાજનાં બીજ આપણને મળી આવે છે; અને તેમાંથી ધર્મયુદ્ધો, જાગીર-સંસ્થા અને શૌર્ય-સંસ્થા જન્મ પામ્યાં. આ વાત કેમ બની તે હવે આપણે જોઈએ. આ હીલચાલમાં બે વાત સમાએલી હતી, ખ્રિતિ ધર્મ અને લડાયક જુસાનું સંમિશ્રણ; અને વ્યાવહારિક પદવીને માટે વધતી જતી પૂજ્ય બુદ્ધિ. ખ્રિસ્તિ ધર્મ પ્રથમ લડાયક ધંધાની કેવળ વિરૂદ્ધ હતો અને અત્યંત વાજબી લડાઈમાંથી પણ પાછા ફરેલા સિપાઈઓને કેટલેક સભ્ય વિશુદ્ધિ અને પ્રાયશ્ચિત કર્યા વિના પ્રભુ ભોજનમાં એ સંસ્થા ભાગ લેવા દેતી નહિ, ખ્રિસ્તિ ધર્મના મોટા મોટા આગેવાને આ વાતના હિમાયતી હતા. ડાયો કિલશિયનના એક સિપાઇએ બ્રિતિ હેવાના સબબે લડવાની ના પાડતાં તેને દેહાંત દંડની સજા થઈ હતી, અને કેટલાક કહે છે કે ખ્રિસ્તિ ધર્મને આ સિદ્ધાંત તેના ઉપર થએલા જુલમનું એક કારણ હતું. છતાં ખ્રિસ્તિઓ ધીમે ધીમે લશ્કરમાં દાખલ થવા લાગ્યા હતા અને કોન્સ્ટનટાઈનના સમયમાં મોટે ભાગે લશ્કર ખ્રિસ્તિ હતું. તે પણ ધર્મગુરૂઓ તે ધંધાને ઉત્તેજન આપતા નહિ. સ્વદેશાભિમાની શુરવીરને વિધર્મીએ નમુનારૂપ નર ગણતા હતા પરંતુ કેથલિક કથાઓને સઘળા સદાચાર તપવૃત્તિમાં સમાઈ જતે હતો, તેથી સંન્યાસીને તેઓ ઉત્તમ ગણતા હતા અને તેથી સિપાઈઓ સાધુ થઈ જતા હતા. ધાર્મિક અને સદાચારી થવાથી વ્યાવહારિક પ્રસંગોમાં પણ ઈશ્વર વચ્ચે પડી આપણને ફતેહ અપાવે છે. એવી માન્યતાને લીધે લડાયક ધંધાના નિકટ સંબંધમાં ધર્મ પ્રથમ આવ્યો. તેથી કરીને કોઈ અગતયની લડાઈમાં
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy