SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ 322 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. માયાળુપણે વર્તવું જોઈએ; અને માનુષી કર્તવ્યના ક્ષેત્રમાં પ્રાણીઓને પણ સમાવેશ છે એ સિદ્ધાંત આમ ઉપસ્થિત થતાં, તે સિદ્ધાંતને ઉપકારક બીજી દલીલે પણ અપાતી. રમના મહારાજ્યના પાછલા સમયમાં પિથા ગેરિયન મતનું જેર જ્યારે વધી પડયું, ત્યારે આવા વિચારોથી લેકે બહુ પરિચિત થયા હતા. રિફાઈરીએ માંસાહાર વિરુદ્ધ સબળ લેખ લખ્યા હતા અને સેનિકાએ થડે સમય તેને ત્યાગ પણ કર્યો હતો. પરંતુ લૂટાર્કને ઉપદેશ આ બાબતમાં અત્યંત સ્પષ્ટ હતા. દેહાંતર પ્રવેશતા અવિવેકી સિદ્ધાંતને છોડી દઈને અથવા એ સિદ્ધાંત સાચા હોય અને ટોય હેય એવી શકી તેમાં લાવીને, લાગણીઓના વિશાળ પાયા ઉપર પ્રાણીઓ પ્રત્યે માયાળુપણાનું કર્તવ્ય એ મૂકે છે. એ સ્પષ્ટ કહેતા કે અખાડામાં થતા પ્રાણીઓને વધ કેવળ ગુનાહિત છે; એવા તમાશાની અસરથી ચારિત્રયમાં પરૂષતા આવે છે; ખાવાના રસને લીધે પ્રાણીઓને મારવામાં એક પ્રકારની કરતા જ છે; અને માણસ પ્રત્યે દયા રાખવાની જેમ માણસની ફરજ છે તેમ પ્રાણીઓ પ્રત્યે પણ દયા રાખવાની તેની ફરજ જ છે. હવે ખ્રિસ્તિ સંસ્થા તરફ આપણે વળીએ તે આપણને માલમ પડશે કે પ્રથમ તે આ બાબતમાં લગભગ કોઈ પણ પ્રગતિ થએલી જોવામાં આવતી નથી. મેનીફીસના મતમાં, માંસાહારને કેવળ વજર્ય ગણવામાં પિત્ય વિચારોનું મિશ્રણ જણાઈ આવે છે, અને આસ્તિક પ્રિસ્તિઓ પણ તે આહાર કરતા નહિ, પણ તેનાં જૂદાંજ કારણે તેઓ આપતા હતા. એક બે ખ્રિસ્તિ વૃદ્ધોએ પિથાગોરિયનના દયાળુ ઉપદેશ પ્રત્યે પસંદગી બતાવી છે. પરંતુ દેહાંતર પ્રવેશના સિદ્ધાંતને કેથોલિક ગુરૂઓ તદન વયે ગણુતા હતા તેમના પાપ-મુક્તિના સિદ્ધાંતને લીધે મનુષ્યજાત બીજી બધી સૃષ્ટિથી કેવળ નિરાળી પડી જતી હતી અને કર્તવ્યના જે પ્રદેશને પ્રાથમિક ખ્રિસ્તિ વૃદ્ધો ઉપદેશ આપતા હતા તેમાં પ્રાણીઓ પ્રત્યે દયાને સ્થાન બિલકુલ અપાતું નહિ. મનુષ્ય પ્રત્યે પ્રેમ રાખો એ વાતને તેઓ જીવનનું લય ગણતા, અને પિતાના સરજનહાર પ્રત્યે મનુષ્યનું કર્તવ્ય શું છે તે પ્રશ્નને જ તેઓ વિચાર કરતા, અને પ્રાણીઓ પ્રત્યે કર્તવ્યના વિચારને
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy