SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 321 ઉપસ્થિત થતી દયાની કમળ લાગણ, રેમના પ્રજા તંત્રના અસ્તની પૂર્વ છેડા વખત અગાઉ ગમત રમતના અખાડામાં પ્રાણીઓને વધ થવા માં તેને લીધે મેંટે ભાગે દબાઈ ગઈ, અને દયાના સ્વાભાવિક વિકાસને પ્રવાહ આગળ જતાં અટકી પડે અથવા મંદ પડી ગયો. થેસેલીમાં થતી આખલાની સાઠમારીઓ ઉપરાંત, મરઘાં અને કુકડાની લડાઈમાં અસલી ગ્રીક લેકો ગમત માનતા હતા; અને તે લડાઈઓ સિપાઈઓને શૌર્યનાં દષ્ટાંત પૂરાં પાડે છે એમ કહીને ધારાશાસ્ત્રીઓ તેમને બહુ ઉત્તેજન આપતા હતા. કેવા જબરા પાયા ઉપર રેમની રમત થતી હતી, કેવા સંજોગોની તેમને અનુકૂળતા મળી હતી, અને લેકે તેમાં કે રસ લેવા લાગ્યા હતા, એ બધી હકીકત આગળ આપણે કહી છે. તથાપિ રોમના સામ્રાજ્ય સમયમાં મનુષ્યો પ્રત્યે દયાને ધોરણ બહુ ઉંચું થયું હતું તે પણ આપણે જાણીએ છીએ. વળી એ વાત પણ લક્ષમાં લેવા જેવી છે કે જે કે જંગલી જનાવરેની લડાઈ જેવાને શેખ લેકમાં ઘણે પ્રબળ હતું, તો પણ સમયના સાહિત્યમાં પ્રાણીઓ પ્રત્યે પણ કમળ લાગણીના અનેક સુંદર ઈસારા આપણી નજરે પડે છે. વરછલની કવિતાનું એ મુખ્ય લક્ષણ છે. પિતાના વાછરડાનું બળીદાન આપતાં ગાયની લાગણીઓનું હૃદયદ્રાવક ચિત્ર લુઝિશિયસે આપ્યું છે. પિતાની સેવામાં ઘરડા થઈ ગએલા. બળદને વેચી દેવાની ખુટા ના પાડી હતી. ઓવિડે પણ એજ વિચાર પ્રદર્શિત કર્યો છે. એક ચકલીના મૃત્યુથી એક રોમીય સ્ત્રીની આંખમાં આંસુ ભરાઈ આવ્યાનું દષ્ટાંત જુવેનલ આપે છે. પ્રાણીઓ ઉપર દયાની ખાતર એપલેનિયસે શિકારમાં ભેગા જવાની પણ રાજાને ના પાડી હતી. રમત ગમતના અખાડામાં જે વખતે હજારે પ્રાણીઓની કતલ થતી હતી તે વખતે કઈ કઈ પણ આવા ઉદ્દગાર કાઢે એ થડા સંતોષની વાત નથી. પરંતુ આ પ્રગતિ માત્ર વિચાર કિવા ભાવનામાં જ હતી એમ નહતું તેને સ્પષ્ટ અને ચેખે ઉપદેશ પણ થતો હતે. નીતિની આ શાખાના સ્થાપક પિયાગો રાસ અને એમ્પીડેકલીસ ગણુતા હતા. પ્રથમ તો, મનુષ્યના આત્માને દેહાંતર પ્રવેશ થતો હોવાથી પ્રાણીઓ પ્રત્યે માણસોએ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy