SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ - 28 રમાં અદ્યાપિ પર્યત પણ થશે નથી; તથાપિ બ્રાહ્મણ વાણીઆ જેવી ઉંચ વર્ણની વિધવાઓ નાત જાતમાંથી નાશી છૂટી અન્ય સાથે ઘર માંડીને રહે છે અને સગાં સબંધી તેમને કોઈ પણ પ્રકારે કનડી શકતાં નથી. અફસોસ છે કે હાલના હિંદુઓ નાડું પકડીને બેઠા છે તે બેઠાજ છે અને બેઠા જ રહેશે. ભેગા મળીને કાંઈ તોડ કાઢવાનું તેમને ફાવતું જ નથી. બેએક વર્ષ પહેલાં વાણીઆની ના નમાં તરતની પરણેલી બે કન્યાઓ રાંડતાં નાતે તેમને ફરી પરણાવવાની પરવાનગી આપી છે એ વાત અત્યંત સંતોષકારક છે. સમજુની બલીહારી છે ! વળી વેદકાળમાં ગુલામ ભેટ તરીકે અપાતા હતા, તેથી ગુલામગીરીને રિવાજ હોય એમ જણાય છે. પરંતુ ગુલામોને ત્રાસ અપાતો હોય એમ જણાતું નથી. એકંદરે સમાજની સ્થિતિ આબાદ હતી અને લેકે . સુખી હતા. સ્ત્રીઓ સુંદર વસ્ત્રાલંકાર પહેરતી. કપડાંમાં ઉનનાં વસ્ત્રો વાપરવાને ચાલ વિશેષ હત; સૂતરાઉ કપડાં પણ વપરાતાં હશે. પુરૂષ પાઘડીઓ પહેરતા, અને સ્ત્રીઓ હાલના ખાખીઓની જટા જેવો માથે વાળને ઉભો અબેડ વાળતી. તેથી માથે ઓઢવાને, લાજ કાઢવાને કે પરદા પેશને રિવાજ હોઈ શકે નહિ. આ રિવાજ પણ મુસલમાનોના સમયથી જ પડે છે. હાલ પણ દક્ષિણમાં માથે ઓઢવાનો રિવાજ નથી. અનાજમાં જવ, ચોખા, માશ (અડદ), તલ, ધાણા ઈત્યાદિ ધાન્ય વપરાતાં હતાં. દહીં, ઘી અને મધ પુષ્કળ વપરાતાં હતાં. ફળાદિને ઉપવેગ પણ બહુ થતો હતો. યજ્ઞમાં માંસ વાપર્યાનું પણ એક ઠેકાણે કહ્યું છે. દેવને મહીજીનું બળીદાન અપાતું હોય એમ જણાય છે. સેમપાન ઇત્યાદિ કેફી પીણાના ઈસારા પણ ઘણા છે. સૂરાપાન થતું હોય એમ પણ જણાય છે. પણ એ સૂરા શામાંથી કાઢવામાં આવતો હતો તે જણાતું નથી. હાલ વિવાહ વિધિમાં જે મધુપર્ક કરવામાં આવે છે તે એક જાતને અતિથિ સત્કાર છે. અને માંસ વિના મધુપર્ક નહિ, એમ આશ્વલાયન કહે છે; અને તેમાં ગોવધ થએલા છે. અત્યારે આપણને આથી સખેદ આશ્ચર્યજ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy