SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સતીને રિવાજ પણ મુસલમાનોના સમયથી આર્ય સંસારમાં પેઠે લાગે છે. વેદકાળમાં પતિ મરી જતા ત્યારે તેની સ્ત્રીને મશાનમાં લઈ જવામાં આવતી હતી, ત્યાં ચેહ ઉપર બેસારી પાછી તેને ઉડાડી ઘેર આ રિવાજ અંગ્રેજ સરકારના રાજ્યમાં લૉર્ડ બેન્ટિકના સમયમાં કાયદાથી નાબુદ થયો છે. એકંદરે સ્ત્રીઓની પદવી ઉંચી ગણાતી હતી એમ લાગે છે. તથાપિ ત્રિીઓની બેવફાઇના અને વ્યભિચારના ઇસારા પણ મળી આવે છે. જૂગટું રમાતું હતું અને તેનાં બુરાં પરિણામ પ્રત્યે લેકેનું લક્ષ ખેચાવા લાગ્યું હતું. જુગારીઓની સ્ત્રી પ્રત્યે અન્ય પુરૂષો છળકપટ અને પ્રપંચ કરે છે. . એક ઠેકાણે સ્ત્રીએ ગુપ્ત સંકેત સાચવ્યાનું પણ લખ્યું છે. ગર્ભપાત ગુપ્ત રીતે થતો હોય એ સંભવિત લાગે છે, સ્ત્રીઓ ઉપર અંકુશ જોઈએ એવી સામાન્ય રીતે માન્યતા પ્રચલિત હતી. પાછળથી ઋતિકારે તો સ્પષ્ટ કહેતા કે સ્ત્રી કદાપિ સ્વતંત્ર નથી. પરંતુ તે ઉપરથી એમ સમજવાની ભૂલ આપણે કવી જોઈતી નથી કે સ્ત્રીઓની ગણત્રી ગુલામ તરીકે થતી હતી. મનુસ્મૃતિમાં સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં નારીઓ પૂજાય છે ત્યાં દેવતાઓ રમે છે. ગ્રીસ અને રેમમાં જે ઉદ્દેશથી ગર્ભપાત થતા હતા અને બાળકેને રખડતા મૂકવામાં આવતાં હતાં તે ઉદ્દેશથી આવર્તમાં કદિ પણ એમ થયું હોય એવું જણાતું નથી. પાછળથી રજપૂતોમાં દીકરીઓને દૂધપીતી કરવાને રિવાજ પડયો હતો, પણ તેનું કારણ એ છે કે તરવારીઆ રજપૂતને “સસરે' થવામાં મેણું લાગતું હતું. આ ચાલ પણ દયાળુ અંગ્રેજ સરકારના અમલમાં છેક અર્વાચીન સમયથી બંધ પડી ગયો છે, પરંતુ લેકી કહે છે તેમાં સુધારાની વૃદ્ધિમાં વ્યભિચારના ગુન્હાને વધારવાનું વલણ હોય છે અને તેથી ગર્ભપાતના ગુન્હા પણ વધે છે. આ ગુન્હાઓ વિધવાઓ કરે ગયા છે. કારણ કે રિવાજ તરીકે જે કે પુનર્લગ્નને સ્વીકાર આર્ય સંસા
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy