SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ દેરાઈ લો થાય તે વાત આદરણીય નથી; કારણ કે એવા સંબંધો અલ્પાયુપી નીવડે છે, અને તેથી સ્ત્રી પુરૂષ ઉભયના જીવનમાં ઉચ્ચાશયતા નહિ રહેતાં જીવન ભ્રષ્ટ થતું જાય છે અને તેમને સંસાર બગડતું જાય છે. કુટુંબ એ વૃત્તિઓને કેળવવાની એક જાતની શાળા હોય છે. છોકરીઓને કેળવવા માટે કેમળતા, અનુવૃત્તિ, આત્મત્યાગ, અમુક ઉદ્દેશે કાર્ય કરવાની સતત અડગતા, જવાબદારી, ચચળ પ્રવૃતિ ઈત્યાદિ ગુણો માબાપોને સેવવા પડે છે, અને સંતાને પણ આ ઉત્તમ પાઠ જેવા કુટુંબમાં શીખે છે તેવા શાળામાં કે સંસારમાં પણ શીખી શકતા નથી, તેથી કૌટુંબિક જીવન ઉચ્ચ ભાવનાઓથી ભરપૂર અને વિશુદ્ધ અવશ્ય રહેવું જોઈએ. માનસશાસ્ત્રની દ્રષ્ટિએ જોતાં સંપૂર્ણ વિશુદ્ધ કૌટુંબિક જીવનમાં પ્રેમને આવિર્ભાવ રહેલો હોય છે. પ્રાણી વર્ગમાં નર માદા એક બીજા પ્રત્યે કઈ અકથ્ય આવિર્ભાવથી સ્વાભાવિક રીતે જ આકર્ષાય એવો સૃષ્ટિને નિયમજ છે. પરંતુ મનુષ્ય એ બુદ્ધિમાન પ્રાણી છે, અને તેથી ઈતર પ્રાણીએના જેવા અલ્પાયુષી સંબધ તેને અનુચિત લાગે છે. તેથી કરીને મનુષ્ય વર્ગમાં લગ્ન સંસ્થા ઉચ્ચ સ્વરૂપ પકડે છે અને અહિક આયુમ્બિક શ્રેયનું સાધન તે બને છે. તેથી જે લગ્નમાં ઉચ્ચાશયતા અને મહાન નીતિ ભાવનાઓ પિોષાઈ ખીલી શકે નહિ તે લગ્ન અવશ્ય તિરસ્કારને પાત્ર છે, અને એવાં લગ્ન ન થાય એવા ઉપાયે યોજાવા જોઈએ. સ્ત્રી પુરૂષ બંને એક બીજાને અર્થે જીવે, પિતાનાં સંતાનોને ઉચ્ચ માર્ગમાં વાળી સમાજમાં ઉચ્ચ સ્થાનને માટે યોગ્ય કરે, નિર્વાહ અને ગુજરાનના સાધનમાં એક બીજાને પડખે રહી પરસ્પર સહાય કરે, અને વિચાર અને વાણીને કેળવી સમાજની સામાન્ય પ્રગતિમાં યથાશક્તિ પિતાને ફાળો આપે-આ પવિત્ર દષ્ટિ લગ્નની હોવી જોઈએ. વળી એક બીજી વાત પણ લક્ષમાં રાખવા જેવી છે. જો કે સ્ત્રી અને પુરૂષ અને મનુષ્ય છે, તથાપિ બન્નેના સ્વભાવ અને પ્રકૃતિમાં ફેર છે, અને તેથી જ બનેની વચ્ચે લગ્નને સંબંધ શકય થાય છે. સ્ત્રીમાં શ્રી
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy