SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ - 20 કરવાને રિવાજ હતો. આ વાત ખ્રિસ્તિ ધર્મ નાબુદ કરી, અને લગ્નમાં ધર્મનું તત્વ મૂકીને લગ્ન સંસ્થાને ધીમે ધીમે પવિત્ર બનાવી દીધી. વળી સ્ત્રી પુરૂષના લગ્ન સંબંધી હક સમાન છે એ વાતને ખ્રિસ્તિધર્મ જેસથી ઉપાડી લીધી અને અદ્યાપિ પર્યત પણ આ વિચાર યુરોપમાં પ્રચલિત છે. વળી લગ્નેચછેદના રિવાજને પણ ખ્રિસ્તિધર્મ ખૂબ વખોડી કાઢયે. તેથી લગ્નની બાબતમાં સ્ત્રી પુરૂષને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. વળી મિશ્ર લગ્ન પ્રત્યે પણ ખ્રિસ્તિધર્મ વિગ્રહ આરંભે, કારણ કે તેથી કૌટુંબિક વિખવાદ બહુ થતે, આમ એકંદરે સ્ત્રીની પદવી સુધારવામાં ખ્રિસ્તિધર્મ બહુ કર્યું છે. અહીં ગ્રંથ પૂરે થાય છે. પરંતુ સમય જતાં ખ્રિસ્તિ ધર્મમાં ફાંટા પડવા લાગ્યા, અને પ્રોટેસ્ટંટ મતે પિપની સામે બળવો કર્યો. આ ધર્મસુધારકને મત એવો હતો કે લગ્નના સ્વરૂપમાં ધર્મનું તત્ત્વ નથી, પણ તેમાં સામાજીક કારજ હેય છે. તેથી લગ્નછેદ કરવામાં કાંઈ અડચણ આવતી નથી. છતાં લગ્ન કરવાં એ ઉત્તમ વાત છે, અને તેથી પ્રોટેસ્ટંટ પાદરીઓ પરણવા લાગ્યા. તથાપિ છેક હાલના સમય સુધી કાયદામાં સ્ત્રીઓ, વિશેષ કરીને પરણેલી સ્ત્રીઓ, સ્વતંત્ર ગણાતી નહોતી. અને છેક છેલ્લા ત્રીશેક વર્ષથી જ સ્ત્રી પુરૂષો વાસ્તવિક રીતે સમાન હકદાર છે એવી ગણના થવા લાગી છે. અને પરિણામે ઈગ્લાંડમાં મતાભિલાષી સ્ત્રીઓની ચંચળતા જેવી ચળવળ થવા માંડી છે. નીતિ પરત્વે સંસારમાં કુટુંબનું સ્થાન અતિ ઉંચું છે; તેથી તે સંબંધી કાંઇક વિશેષ વિચાર અત્ર અપ્રાસાંગિક નહિ ગણાય. જ્યાં કૌટુંબિક જીવન વિશુદ્ધ ન હોય ત્યાં સમાજમાં સડો પેસી જાય છે, તેથી કરીને પ્રજામાં રાષ્ટ્રીયતા (Nationality ) આવી શકતી નથી, અને રાજ્યને નિરંતર જોખમ રહ્યા કરે છે. કૌટુંબિક જીવનમાં લગ્નની વાત પ્રધાનપદ ભોગવે છે.” પરંતુ લગ્નમાં સ્ત્રી પુરૂષના પરસ્પર અભ્યદય અને નિઃશ્રેય વિચાર મુખ્ય હું જોઇએ. તેથી કરીને પ્રબળ કામ-વિકાર કે કેવળ સ્વાર્થના અંશથી
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy