SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ કન્સ્ટનટાઈથી શાર્લમેન સુધી. 223 ખ્રિસ્તિ ધર્મ કર્યો છે. પરંતુ નીતિમાં નિસ્વાર્થ પ્રોત્સાહનને તે એ ધર્મ એથી પણ વિશેષ જાગ્રત કર્યું છે. લેટેના અનુયાયીઓ ઈશ્વરનું અનુકરણ કરવાને ઉપદેશ આપતા; ઈક મતવાળા વિવેકબુદ્ધિને પગલે ચાલવાનું કહેતા, ખ્રિસ્તિઓ ઈશુખ્રિસ્ત ઉપર પ્રેમ કરવાનું કહેતા; અને ઈશુખ્રિસ્તધારા એવા સુંદરચારિત્ર્યની ઉત્તમ રેખા તેમણે અંકિત કરી છે કે આજ એગણીસસે વર્ષો પછી પણ મનુષ્યના હૃદયને મહારી અને પ્રોત્સાહક થતું તે મટયું નથી. અને પ્રોત્સાહિત જીવનના ત્રણ ટૂંકા વર્ષના ઉલ્લેખથી મનુધ્ય-જીવનને આટલે બધે પુનરૂદ્ધાર થઈ શકે છે એ વાત ખરેખર વિસ્મયકારક છે. ખ્રિસ્તિ જીવનમાં જે કાંઈ સર્વોત્તમ અને અત્યંત વિશુદ્ધ છે તેનું મૂળ કારણ એ જ વાત છે. સંપૂર્ણ અને વિશુદ્ધ પ્રેમ સ્વાર્થની કોઈ ગણત્રીને પીછાણતો નથી, અને પોતાના હકની માગણી કર્યા સિવાય આત્મભોગ આપવા સદા તૈયાર હોય છે, અને ઈશુ ખ્રિસ્તના પ્રેમની ખાતર ખ્રિસ્તિઓએ પિતાના પ્રાણનું સમર્પણ કરી ઉત્તમ પ્રતિને સદાચાર પાળે છે; અને મૃત્યુને પ્રિયા ગણું તેને ભેટી ધર્મવીરે થઈ ગયા છે. ખરું કહીએ તો ખ્રિતિ સદાચારનું દૃષ્ટિબિંદુ પ્રેમ–જીવનમાં જ છે અને ખ્રિસ્તના આચરણમાં ઉંચી પ્રતિને સદાચાર અને કોમળતા પણ તેથી જ આવે છે. ઘણું માણસમાં કર્તવ્યને કેવળ સાદે વિચાર વાસનાઓના બળ સામે ટકી શકતો નથી. હઝરત મહમદ પેગંબરના ધર્મમાં પણ વિશુદ્ધ એકેશ્વરવાદ અને કર્તવ્યને ભવ્ય વિચાર છે, પરંતુ હઝરત મહમદ પેગંબરનું પોતાનું જીવન આદર્શરૂપ નહોતું. ઈશુ ખ્રિસ્તના પવિત્ર અને ઉચ્ચ જીવનથી ખ્રિસ્તિઓનું જીવન જ બદલાઈ ગયું છે. એક અન્ય કારણને લીધે પણ ઈશુ ખ્રિસ્તના જીવનની અસર પ્રથમ સૈકાઓના ખ્રિસ્તિઓ ઉપર બહુ થએલી હોવી જોઈએ. કુદરતમાં કાયદાનું રાજ્ય અવિચળ છે એવા આપણે વિચાર હાલ બંધાઈ ગએલા હોવાથી કઈ બરાબર કેળવાએલે માણસ મનુષ્યના લાભની ખાતર ઈશ્વરી ચમત્કાર થાય છે એ વાત અત્યારે માન નથી. પરંતુ તે સમયે બ્રિસ્તિઓ તે કાન, ધરતીકંપ, દુષ્કાળ ઈત્યાદિ ભયંકર બના માણસોનાં કાર્યોને લક્ષીને ઈશ્વર મલે છે એમ માનતા.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy