SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ AMAA રરર યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ઇત્યાદિ કૃત્યને ગુના ઠરાવી તેમનાં જુદાં જુદાં પાપને માટે શિક્ષાના ક્રમ પણ તેમણે કરાવ્યા હતા. નાના નાના ગુનાને માટે થોડાં અઠવાડીઆં સુધી આ ક્રિયામાં ભાગ લેવાની બંધી થતી. વધારે મોટા ગુનાને માટે એક વરસ, દશ વરસ કે વખતે જીંદગી પર્યત પણ બંધી થતી. કવચિત્ જન્મજન્મ પણ એમાં ભાગ લઈ ન શં, એવી શિક્ષા થતી. અને આ શિક્ષાને કાળ પ્રાયશ્ચિતકાળ ગણાતો અને તેમાં ગુનેગારે કેટલાંક ત્રત પાળવા પડતાં; દાખલા તરીકે તેનાથી તે કાળમાં સ્ત્રી-સંગ ન થાય, કેદ પણ જાતની મેજ મજામાં તેનાથી પડાય નહિ, અને સતત પ્રભુભકિતમાં જ મગ્ન એણે રહેવું જોઈએ; અને આ પ્રાયશ્ચિતકાળ પૂરો થઈ રહ્યા પછી પણ તેણે માથું મુંડાવી ઉપર રાખ ભભરાવી કેથળામાં પેસી પાદરી પાસે ઉભા રહેવું જોઈએ અને જાહેરમાં પોતાના પાપનો ઇકરાર કરવો જોઈએ. અને ત્યારે જ પાછી તેને તે ક્રિયામાં ભાગ લેવાની છૂટ મળતી. કેટલીકવાર પાદરીઓ, ગુનેગારને ધર્મ બહાર કરતા, અને તેની સખ્તાઈ આપણામાં નાત બહાર કર્યાની સખ્તાઈ કરતાં પણ વિશેષ હતી. પાપ અને પ્રાયશ્ચિતની આ પદ્ધતિની બહુ બારીક વ્યવસ્થા પાછળથી ધર્માધિકારીઓએ કરી હતી, અને તેથી કરીને તે ધર્મની સત્તા રાજ-સત્તા કરતાં પણ વિશેષ થઈ પડી હતી. આ પ્રમાણે જે વાતને લેકે પિતાની મેલની આવશ્યક વસ્તુ માનતા હતા તેની કુલ સત્તા ધર્માધિકારીઓએ પોતાના હાથમાં રાખવાથી ધમને નામે અનેક ધા હતીઓ ઉપજાવવા તેઓ શક્તિમાન થયા હતા અને તેથી આગળ જતાં રેમ અતિ અનિષ્ટકારક વહેમોને અખાડો થઈ પડ્યું હતું. પરંતુ નીતિ પર તે તેથી લાભ જ થયે છે, કારણ કે પાપ અને પ્રાયશ્ચિતની આવી સંસ્થાને સખત અમલ થતું હોવાથી અમુક બાબતોમાં નીતિ પરત્વે લેકેના ભેદ-ગ્રાહી વિચાર દઢ થાય છે અને નીતિના ક્રમમાં માણસો ટેવાય છે. અને એ જ પરિણામ ખ્રિસ્તિ ધર્મ પણ આપ્યું છે. જન-સ્વભાવમાં રહેલા સ્વાર્થના તત્ત્વને ઉપયોગ આ પ્રમાણે
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy