SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ 192 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. * કરતો, એક યુવાન પુરૂષ કે જે ડાકણના પ્રેમના પજામાં ફસાથે હતા તેને એણે તેમાંથી મુક્ત કર્યો ઈત્યાદિ એના અનેક ચમત્કારની વાતે થવા લાગી, અને દરેક તત્ત્વદર્શીના સંબંધમાં આવી વાતે ચાલતી અને મનાતી. ટાંગ અને ધતીંગ પણ થતાં હતાં. ' આ પૂર્વ-દેશી પવનની તેહેનાતમાં અનેક વેહેમ અને ચમત્કારની કથાઓ ચાલી આવી, અને આ પવનની પાંખ ઉપર ચડી ખ્રિસ્તિ ધર્મ રોમના સાર્વભૌમ રાજયમાં પ્રવિષ્ટ થશે. આ ખ્રિસ્તિધર્મ નીતિની બાબતમાં બીજાથી બહુ જાદ પડતો હતો. પરંતુ બીજા ધર્મ જેમ ચમતકારની વાતે કરતા તેમ ખ્રિસ્તિધર્મ પણ તેની વાત કરતે, અને તેમાં કોઈને નવાઈ લાગતી નહિ. ખ્રિસ્તિ ધર્મના ચમત્કાર બધા સ્વીકારતા અને ખ્રિસ્તિ વૃદ્ધો પણ વિધર્મીઓના ચમત્કાર સ્વીકારતા. દાખલા તરીકે, ઘણા વિધર્મી ફિલસુફે દેવ-વાણી નહોતા માનતા, પણ બધા ખ્રિસ્તિ-વૃદ્ધો તેની સત્યતા સ્વીકારતા, અને તેમાં પિતાના ધર્મની આગાહી કરી છે એમ કહેતા. દેવવાણી ધતીંગ છે એમ કહીને છેક ઇ. સ. 1696 માં વાનડેઈલ નામના એક વલંદા ધર્મગુરૂએ પ્રથમ તેને ઈનકાર કર્યો હતે; ત્યાં સુધી ખ્રિસ્તિ ધર્મમાં તેની સત્યતા સ્વીકારવામાં આવતી હતી. પરંતુ જ્યુડિયામાં પ્રથમ સૈકામાં બનેલા ચમત્કારોના સત્યાસત્યને નિર્ણય કરવાની શક્તિ ત્રીજા સૈકાના આ માણસમાં હતી એમ ધારવામાં ભૂલ છે. વળી જે સમયે ચમત્કારોની માન્યતા ચારે બાજુએ પ્રસરેલી હતી તે વખતે એ ચમકારોની ખાસ અસર લેકના મન ઉપર થઈ હતી એમ માનવું પણ ભૂલ ભરેલું જ ગણાય. . ખરું કહીએ તે યહુદી સમયના પ્રાથમિક ચમત્કારેની સત્યતા અને રોમ ખ્રિસ્તિ કેમ થયું એ બે પ્ર ભિન્ન ભિન્ન છે અને તેમને એક બીજાથી અલગ રાખવા જાઈએ. અર્વાચીન સમાજના અને અમુક પ્રકારે વિચાર કરવાની આપણી ટેવો વડે આપણે તે સમયના લેખકેની તુલના કરીએ છીએ; પણ અર્વાચીન કાળના ઘણાખરા વધારે સમજુ વ્યપદેશાઓ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy