SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ 160 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ વિસરી જવી ગ્ય નથી. છતાં એક આખી પ્રજા મનુષ્ય જીંદગી પ્રત્યે કેવળ બેદરકારી બતાવે એ એક મોટું નૈતિક સંકટ સમજવું. ' પરંતુ આ બેલેથી ઉપજતી નૈતિક દુર્દશાને આ સંકટે છેડો નહોતે. કઈ પણ જાતના સ્વાર્થ વિના કેવળ બીજાના દુઃખથી આનંદની તીવ્ર લાગણી અનુભવે એવાં પણ જે માણસે થતાં હોય તે બેશક તે બહુ જ થોડાં અને ક્વચિત જ હોય છે. તથાપિ છોકરાઓની વૃત્તિઓનું બારીક અવલોકન કરતાં અને અમુક રમત ગમતમાં મેટાની વૃત્તિઓ તપાસતાં જણાય છે કે માણસના સ્વભાવમાં કાંઈક એવું તત્વ રહેલું છે કે જે નાની નાની બાબતમાં બીજાના થોડા થોડા દુખથી રાજી થાય છે. તરવારના ' પ્રાણઘાતક ખેલોથી આ તત્વ ખીલી નીકળી બહાર આવ્યું. શેહેનશાહ કર્લોડિયસને માટે એમ કહેવાય છે કે તે બેલેમાં મરી જતા માણસેના ચહેરાને નિરીક્ષણ કરવામાં આનંદ માનતે, કારણ કે ભિન્ન ભિન્ન પ્રકારની તેમની વેદનાના નિરીક્ષણથી આનંદ મેળવવાની કળા એ શીખ્યો હતે. ઉપરાંત નવીનતાની ખાતર તે રમતોના જંગલીપણામાં કંઈ કંઈ જાતની બંધાઈ અને સીતમ ઉમેરાવા લાગ્યાં. નીરના સમયમાં ચારસે વાઘને સાંઢ અને હાથીઓ સાથે વઢાડવામાં આવ્યા હતા. એક વખતે એક દિવસમાં પાંચ હજાર જાનવરે એમ મુઆ હતાં. દ્રાજનના સમયમાં તે રમત એકને ત્રેવીસ દિવસ ચાલુ રહી હતી. સિંહ, વાઘ, હાથી, ગેંડા, ગ્રાહ, જરખ, સાબર, મગર અને સને પણ મેદાનમાં ઉતારવામાં આવતાં હતાં. માણસની સંખ્યા તે અસંખ્ય હતી. ડામરના ખમીશ પહેરાવી ખ્રિસ્તિીઓને બાળી મૂકી નીરેએ પિતાના બગીચામાં રેશની કરાવી હતી. એક વખત વામનરૂપ માણસને એમ લડી મરવાની ફરજ પાડવામાં આવી હતી. એકાદ બે વખત સ્ત્રીઓ પણ એ રમતમાં ઉતરી હતી. ટૂંકામાં હસાહસ ઉપજાવે એવા કઈ પણ પ્રકારનું વિસ્મરણ થતું નહિ. કેટલાક શહેનશાહને તે ખાણ વખતે જંગલી જાનવર પાસે માણસોને ચરાવી નાખ્યા વિના ખાધેલું પચતું નહિ. ' ,
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy