SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ આ વિધમી મહારાજ્ય. 15 બને છંદગીની બેપરવાઈ બતાવવા લાગ્યા. છેવટે એ રમત એક ધંધારૂપ થઈ પડી; અને ખેલાડીના ટોળેટોળાં આખા ઇટાલીમાં ફરવા લાગ્યાં. છેકરએ પણ એ રમત રમતા અને ધાર્મિક પવિત્ર સાધ્વીઓને પણ એ રમતના સ્થળે માનવંતી બેઠકે મળવા લાગી. - પ્રાંતોમાં પણ એ રમતને એ જ શેખ વધી પડ્યો; અને તેને માટે નાટકશાળાઓ બંધાઈ હતી. ટાઈબિરિયસના રાજ્યમાં એક વખત એવી એક નાટકશાળા પડી જવાથી વીશ હજાર માણસે મરી ગયાં હતાં; એગ્રીપાએ એક વખત એ રમતમાં ચૈદસે માણસને ઉતાર્યા હતાં. માત્ર ગ્રીસ જ આ ઘેલામાંથી મુક્ત રહ્યું હતું. આનું પરિણામ એ આવ્યું કે લેકે શાંત અને સુધારેલી રમત ગમતને માટે લાયક રહ્યા નહિ. આ રમતની બરાબરી કેટલીક કેવળ બિભત્સ રમતે જ માત્ર કરી શકતી. રેમન લેકે હવે એવા થઈ ગયા કે કલ્પનાને અત્યંત ઉશ્કેરે એવા પ્રસંગો વિના તે રાજી થતા નહિ. તેથી ભ્રષ્ટ કારસ અને હાસ્ય-રસ પ્રાધાન નાટકે વધી પડયાં; અને કરૂણરસપ્રધાન નાટક કે જેથી વૃત્તિઓ ઉચ્ચ, ઉન્નત અને રસિક થાય છે તેમને અસ્ત થયો. દયાની લાગણું આપણામાં સ્વભાવ સિદ્ધ હોય છે અને જેવી મનુબો પ્રત્યે એ ઉપજે છે તેવી જ પ્રાણીઓ પ્રત્યે પણ તે ઉપજે છે. પરંતુ પરિચિતતાને લીધે તેમાં બહુ ફેર પડી જાય છે. હિંદુઓને એવીછી મારતાં પણ જીવ ચાલતું નથી. માંસાહારી પ્રજાને જનાવર મારતાં કમકમાટી ઉપજતી નથી. આમ પરિચિતતાને લીધે માણસ મારવું એ વાતને રોમનલે કે એક જંગલી જાનવર મારવા જેવું ગણતા હતા. ટેવાઈ જવાથી ઘાતકી વર્તણકમાં માણસને ઘાતકીપણું લાગતું નથી. રેમના આ જંગલીપણું ઉપર અત્યારે આપણને તિરસ્કાર ઉપજે છે. પરંતુ સારામાં. સારા માણસો ઉપર પણ સમયની અસર થયા વિના રહેતી નથી, અને તરવારના આ ખેલ રેમના રાજ્યમાં સર્વત્ર નિર્દોષ ગણતા હતા, એ વાત
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy