SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વિધમી મહારાજ્ય. 157 રીવાજ ચાલુ થયો અને પછી ભાડુતી સિપાઈઓની ભરતી લશ્કરમાં થવા લાગી. રાજ્યને વિસ્તાર વધતાં લશ્કરને દૂરના પ્રાંતમાં રહેવું પડતું. તેથી લશ્કરી સખ્તાઈ અને બંદોબસ્ત ધીમે ધીમે ઓછાં થઈ ગયાં; અને સિપાઈઓમાં મેજશેખ વધવા લાગે. સિપાઈઓ તોફાની બની વખતે શેહનશાહનું પણ ખૂન કરતા; તેથી શહેનશાહે તેમને લાંચ આપી પોતાની સલામતી શેધવા લાગ્યા. લશ્કરનું જોર વધી પડતાં શહેનશાહની પસંદગી પણ લશ્કર કરવા લાગ્યું. અને પછી રોમન હોય તે જ શહેનશાહ થઈ શકે એ નિયમ પણ રહ્યો નહિ. લાંબા વખત સુધી રેમથી દૂર રહેવાને લીધે અને મેજ શેખ વધી પડવાથી સિપાઈઓમાંથી દેશાભિમાન જતું રહ્યું; અને શહેનશાહને નહિ, પણ પિતાના સરદારને સિપાઈઓ વફાદાર રહેવા લાગ્યા. નિર્બળ શહેનશાહના વખતમાં પિતાના સરદારને બળા કરવા તેઓ ઉશ્કેરતા. અને અંતે આખા રાજ્યમાં લશ્કરી ગેરવ્યવસ્થા પ્રસરી રહી. આના ઉપાયમાં શહેનશાહ પિતે લશ્કરનું અધિપતિપણું પિતાના હાથમાં રાખતા, પણ તેથી લશ્કરની સ્થિતિ સુધરી નહિ; કારણ કે લેક-પ્રિય થવાની લાલચે સિપાઈઓના સુસ્ત વર્તનને શહેનશાહ ઘણું કરીને ઉત્તેજન આપતા, અને તેથી સૈનિક જીવનનાં કષ્ટો અને સંકટ સહન કરવાની શક્તિ અને વૃત્તિ સિપાઈઓમાં રહી નહિ. પરિણામ એ આવ્યું કે લશ્કરમાં વિદેશીઓ દાખલ થવા લાગ્યા અને તેનાં રાજકીય અને લશ્કરી પરિણામ બહુ બુરાં આવ્યાં. તે વખતે દારૂ ગોળાની શોધ થઈ નહોતી. અર્વાચીન સમયમાં સુધરેલી પ્રજા તોપખાનું પિતાના હાથમાં રાખી બીજી પ્રજા ઉપર સરસાઈ ભોગવી શકે છે. પણ તે લાભ રામન લેકને મળી શકે એમ ન હોવાથી ઈટાલીના લેકે લડાયક ધંધાના કેવળ બીનઅનુભવી થઈ ગયા; અને જે વિદેશી સિપાઈઓ અંતે રેમનું રાજ્ય ઉથાપવાને સમર્થ થયા તે સિપાઈઓ લડાઈને હુન્નર રેમન સરદારે પાસેથીજ શીખ્યા. ઉપરાંત રેમને નીતિનું નુકસાન પણ થયું, કારણ કે લડાઈના શેખના અસ્તની સાથે તેમાં રહેલા સદાચારે પણ અસ્ત પામ્યા.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy