SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ 156 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. જોઈએ તેટલા મળતા હોવાથી તે ખેડૂતને કોઈ સાથી પણ રાખતું નહિ. બીજી તરફથી રાજધાનીમાં અનાજ મફત મળતું હોવાથી તે ત્યાં જતો. વળી અનાજની આ મોટી દેણગીને લીધે રાજકર્તાઓ દૂર દેશો પાસેથી ખંડણીને બદલે અનાજ લેતા; અને મુખ્યત્વે કરીને સિસિલી અને આદિકાથી અનાજને માટે જ આવતો. તેથી ઇટાલીમાં ધાન્યની નીપજ લગભગ બંધ થઈ ગઈ. તેથી ખેડૂતવર્ગ નાશ પામે અને જમીન પડતર રહેવા લાગી, અથવા ગૌચરમાં જતી, અથવા ગુલામો તે ખેડતા. ઈટાલિની નૈતિક સ્થિતિ ઉપર આ બધાની બહુ ગંભીર અસર થઈ. જે રોમ પ્રથમ અન્ય દેશોને અનાજ પૂરું પાડતું તે જ મને હવે અનાજને. માટે અન્ય દેશ ઉપર આધાર રાખવો પડત. ટેસિટસ કહે છે તેમ, ઈદગીની ખાસ જરૂરી વસ્તુ માટે રોમનો આધાર પવન અને પાણી ઉપરજ રહેત; અને પરદેશથી આવતાં અનાજનાં વહાણ ડૂબી જાય, અથવા જે દેશમાંથી અનાજ આવતું તે દેશ જે રાજ્યથી સ્વતંત્ર થાય, તે રેમની કેવી લાચાર દશા થઈ જાય એ વિચારથી રાજદ્વારી પુરૂ પી જતા. છતાં ગુલામ રાખવાનો રિવાજ અને મફત અનાજ દેવાની રસમને લીધે ઇટાલીની ખેતીને સજીવન કરવાના દરેક પ્રયત્ન નિષ્ફળ ગયા. ગુલામગીરીની સંસ્થાનાં મૂળ એટલાં ઉડાં હતાં કે તેને નાબુદ કરવી અશક્ય હતી અને અનાજની દેણગી બંધ કરવાની હિંમત કે શહેનશાહની ચાલતી નહિ. કેટલાક કુશળ શહેનશાહને આ ભયનું ભાન હતું, પણ રોમની ખેતીને ઉત્તેજીત કરવાના તેમના બધા પ્રયાસ વ્યર્થ ગયા; અને ખેતીને નાશ કરનારાં આર્થિક અને નૈતિક કારણો પ્રબળ થયાં. અને મહારાજ્યના પાછલા સમયમાં ખેતીને અસ્ત થયો અને તેની સાથે રહેતા સદાચારે પણ તેના અસ્તની સાથે તણાઈ ગયા. મને સૈનિક જીવનને પણ ધીમે ધીમે અસ્ત થઇ ગયા. રામના લશ્કરમાં ભરતી પ્રથમ ઉપલા વર્ગમાંથીજ કરવામાં આવતી; અને લડાઈના સમયે જ તેમની પાસેથી નોકરી લેવાતી, જેથી તેમને કાંઈ આપવું પડતું નહિ. પરંતુ પ્રજાસત્તાક રાજ્યના અસ્ત પહેલાં સિપાઈઓને પગાર આપવાને
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy