SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ 142 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. આબરૂદાર અને મહેનતુ હતી. ઉપરાંત તેઓ જીતેદ્રિય, રાગદ્વેષને મારી શકે એવા, કપ્રિયતાના ભોગે પણ પિતાને ઉદ્દેશ જાળવવામાં દઢ અને કર્તવ્યપરાયણ હતા. સ્વદેશાભિમાનને લીધે તેમનામાં ઘણુ સદાચાર આવ્યા હતા. આવા સંજોગોમાં તેમને ગ્રીક તત્ત્વવેત્તાઓને સંસર્ગ થયે; આઇક અને એપિક્યુરિયન મતની તેમનામાં ચર્ચા થવા લાગી; અને જે કે એપિક્યુરસના મતને પ્રસાર તેમનામાં ઘણો થયો હતો, પરંતુ એંઈક મત તેમના ખમીરને અનુકુળ હોવાથી સુધરેલા વર્ગને તે મત ધર્મરૂપ થઈ પડે. - આઈક મત પ્રમાણે આપણી વિવેક બુદ્ધિ જીવનને એક અમુક કાયદે આપણને પ્રત્યક્ષ બતાવે છે અને સુખ દુઃખ કે સ્વાર્થની કઈ પણ ગણત્રી રાખ્યા વિના તે કાયદાને અનુસરી આપણે ચાલવાનું છે. આપણી ઈચ્છા શક્તિનું નિયમન વિવેક બુદ્ધિથી જ થવું જોઈએ. કામક્રોધાદિ વિકારે એક જાતને રોગ જ છે. આપણી ઈચ્છાશક્તિને ઉન્નત કરી દઢ કરવી, અને વિકારને મોળા પાડી છેક હેઠે બેસારી દેવા એ વાત સ્ટઈક મતમાં મુખ્ય છે, અને માણસથી એ વાત બની શકે એવી છે. વર્તમાન જીંદગી સિવાય બીજા કશાની દરકાર રાખવાની એને જરૂર નથી; તેથી મૃત્યુ જોઈ દિલગીર થવાની કે ગભરાવાની તેને કોઈ જરૂર નથી; અને તેની મરજી હોય તે આપઘાત કરવાને તેને હક છે. આ એ મતને ઉપદે હતે. રોમન લેકેને આ બધી વાતો બહુ ભાવતી આવી, અને તેથી ઐક મત તેમનામાં પ્રબળ થયો; અને તે એટલે સુધી કે સંજોગ બદલાતાં લોકેના આચરણમાં ફેર પડવા લાગે ત્યારે પણ તે મત દઢતાથી તેની સામે થયો. લેક-વિચારને માન આપી પિતાના સિદ્ધાંતમાં કાંઈપણ ફેરફાર કરી લેકેને રાજી રાખવાની ઈક મતે સાફ ન કહી છે. સુધારા તે દુનિયામાં ઘણા થયા છે અને થશે, પણ આ વાતને લીધે બીજા બધા સુધારકેથી સ્ટઈક મતવાળા જૂદા તરી આવે છે. પિતાના સિદ્ધાંતની વિશુદ્ધિ એંઈક મતે કદિ છેડી દીધી હતી. અત્યંત અંધાધુની અને ભ્રષ્ટતાના સમયમાં પણ સારાનરસાનો ભેદ રોમન લોકોના વિચામાંથી ભૂંસાઈ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy