SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ 73 પ્રકરણ 3 જુ.] મલબારની પ્રાચીન હકીકત. રાજાને માથે એ ફરજ પડી. આ વ્યવસ્થા બારમા તેરમા સૈકા સુધી ચાલ્યા પછી આરબોની મદદથી તથા વેપારમાં થતા અનહદ ફાયદાને લીધે કૅલિકટનો ઝામરીન વિશેષ પ્રબળ થયો ત્યારે આખા કેરલ દેશ તરફથી તે આ સમારંભમાં મુખ્ય ભાગ લેવા લાગ્યો. એ સમયે ત્રાવણકોરને મુલક કેરલને તાબે હેવાથી ત્યારે રાજા ઝામરીનને માંડળિક રાજા હતા. સને 1743 માં છેલ્લે સમારંભ થઈ ગયા પછી ત્રાવણકેર મલબારથી સ્વતંત્ર થયું તે આજ સુધી તેમજ છે. કૅલિકટમાં રહેતા ઝામરીનના વંશજોની પરવાનગીથી ત્યાંનાં સર્વ દફતર તપાસી મે. લેગન સાહેબે સને ૧૯૮૩માં થયેલા મહામખ સમારંભનું જે વર્ણન લખ્યું છે તે ઉપરથી માલમ પડે છે કે " આ સમારંભ અઠ્ઠાવીસ દિવસ ચાલ્યો. તેને માટે કેટલાક મહિના અગાડી તૈયારી ચાલી હતી, અને લેકેને આમંત્રણ કરવામાં આવ્યાં હતાં. સારે દિવસ જે રાજાએ સમારંભના સ્થળ તરફ પ્રયાણ કર્યું. તેની છાવણી મધ્યમાં હતી, અને તેની આસપાસ માંડળિક રાજાઓના મુકામ હતા. નદીને ઉત્તર કાંઠે દેખાય છે. દશ દિવસ આખા લશ્કરની તપાસ થયા પછી પ્રત્યેક પ્રાંતની ફેજે ઝામરીન પાસે આવી તેને સલામી આપી. રાજ્યારેહણને ઠાઠ ઘણું મટે હતો. તે દહાડે રાજા રાંધેલા ભાતની એક મોટી થાળ પિતાની પાસે લઈ બેસતો, અને તેમાંથી પહેલાં પોતે થોડો ખાઈ એકઠા થયેલા લેકને પિતાને હાથે પ્રસાદ આપત. જેઓ આ પ્રસાદ લેતા તેણે રાજાની જીંદગી માટે પ્રાણ આપવા સોગન લીધા હોય એવું માનવામાં આવતું. આ સેગન તેઓ બરાબર પાળતા. નવમાં સૈકાના મુસલમાની ગ્રંથમાં પણ આ હકીકત આપેલી છે. ઘણું રાજાઓપાસે આવી રીતે જીવ આપનારાં માણસોની મોટી સંખ્યા રહેતી. મલબારમાંના મેપલા મુસલમાનોએ પણ આ પદ્ધતિ સ્વીકારી હતી. એ લેકે ઘણું ઝનુની હોવાથી બ્રિટિશ અમલમાં પણ તેઓએ અનેકવાર તેફાન હુલ્લડ કર્યું હતું, તે વખતે જીવની પરવા કર્યા વગર અંગ્રેજોની તલવાર ઉપર જઈ પડવાના દાખલા મળી આવે છે. હવે તેઓ ગરીબ થઈ ગયેલા હોવાથી
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy